Surat Railway Station : ગુજરાતમાં સુરત રેલવે સ્ટેશન મુસાફરોથી સૌથી વધુ ધમધમતુ રેલવે સ્ટેશન છે. અહીંથી દક્ષિણ અને ઉત્તર તરફ જતા મુસાફરોનો પ્રવાહ વધારે હોય છે. આવામાં મુસાફરોને ટેન્શન કરાવે તેવા સમાચાર રેલવે આપ્યા છે. તારીખ 21, 22, 23 ડિસેમ્બરે મેગા બ્લોક જાહેર કરાયું છે. જેની અસર અનેક ટ્રેનોને પડશે.
વલસાડ સ્ટેશન પર પુલ 330ના ગર્ડરનો પ્રિ-કાસ્ટ પીએસસી સ્લેબમાં બદલવા માટે પશ્ચિમ રેલવેએ બ્લોક મૂક્યો છે. જેની સીધી અસર મુસાફરોનેપ ડશે. અપ અને ડાઉનની મેઈન લાઇન સાથે અપ અને ડાઉન યાર્ડ પર લેવાયો છે. આ કારણે સુરત રેલવે સ્ટેશનથી અવર જવર કરતી 27 ટ્રેનોને અસર થશે. આ મેગા બ્લોકને કારણે 27 ટ્રેનોમાંથી 4 રદ કરાઈ છે. તો 2 શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. આ ઉપરાંત 21 ટ્રેન મોડી પડશે. આવતીકાલે 15 ટ્રેનો 20 મિનિટથી 1.30 કલાક સુધી મોડી ઉપડશે એવી ધારણા છે. જેમાં 4 ટ્રેન કેન્સલ, 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને 21 ટ્રેનો 1.30 કલાક મોડી પડી હતી.
23મીએ 6 ટ્રેન મોડી ઉપડશે
09055 બાંદ્રા-ઉધના 20 મિનિટ મોડી ઉપડશે
12926 અમૃતસર-મુંબઈ 1.30 કલાક મોડી
22954 અમદાવાદ-મુંબઈ 1.05 કલાક મોડી
22910 પુરી-વલસાડ 1.10 કલાક મોડી ઉપડશે
19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર 20 મિનિટ મોડી
16588 બિકાનેર-યશવંતપુર 1.30 કલાક મોડી
23મીએ શોર્ટ ટર્મિનેટ અને કેન્સલ
રેલવે તંત્રએ પેસેન્જરોને સૂચના આપી છે કે તે મુસાફરી શરૂ કરતાં પહેલાં ટ્રેનોની સ્થિતિ તપાસી લેવી, જેથી કોઈ પણ પ્રકારની હાલાકીથી બચી શકાય.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થશે, આ દિવસોમાં આવશે વરસાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે