હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના મુખ્ય સચિવ (Gujarat chief secretary) કોણ હશે તેના રહસ્ય પરથી આવતીકાલે દિલ્હી (Delhi) હાઈકમાનમાંથી પડદો ઉઠશે. આવતીકાલે સીએમઓના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન દિલ્હી જશે. તેઓ પીએમઓ સાથે મુખ્ય સચિવની નામની ચર્ચા કરવા માટે દિલ્હી જતા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે આવતીકાલે ગુજરાતના મુખ્ય સચિવની ગાદી કોણ સંભાળશે તેનું નામ આખરે સામે આવશે. ઉલ્લેખનીય છે કે, કે.કૈલાસનાથન આજે દિલ્હી જવાના હતા, પરંતુ તેમનો આજનો દિલ્હી જવાનો કાર્યક્રમ રદ કરાયો છે, હવે તેઓ આવતીકાલે દિલ્હી જઈને પીએમ મોદીને (Narendra Modi)ને મળશે તેવુ કહેવાઈ રહ્યું છે.
બદલાઈ રહ્યો છે Statue of Unity નો કલર, કરાઈ રહ્યું છે આ ખાસ કામ
જે.એન.સિંઘનું 6 મહિનાનું એક્સેટન્શન પૂરું
આજે સવારે સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, ગુજરાત રાજ્યને મુખ્ય સચિવ પદે નામની જાહેરાત ૩૦મી તારીખે મોડી સાંજે કરવામાં આવે તેવી સંભાવના છે. પરંતુ તે પહેલા જ કદાચ નામની જાહેરાત થઈ જાય. ઉલ્લેખનીય છે કે, હાલના ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘને છ મહિનાનું આપેલું એક્સ્ટેન્શન પણ 30 નવેમ્બરના રોજ પૂરુ થઈ રહ્યું છે.
ટેક્સી ડ્રાઈવરની સૂઝબૂઝની દાદ દેવી પડે, સોશિયલ મીડિયા પર ફોટો જોઈને અપહરણ થતી બાળકીને બચાવી
મુખ્ય સચિવની રેસમાં કોણ કોણ...
જોકે પસંદગી ગુજરાત માટે કરવાની હોવાથી આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી આખરી ગણાશે. રાજ્ય સરકાર દ્વારા પીએમઓ કક્ષાએ મુખ્ય સચિવના નામની ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે. રાજ્ય સરકાર દ્વારા મુખ્ય સચિવ પદે ત્રણ નામોની પેનલ મોકલોમાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે