મુસ્તાક દલ, જામનગર: હાલ કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને ઘરમાં દરેક જણ પોતાનો સમય પસાર કરવા માટે કઈકને કઈક મનગમતી કામગીરી કરતા હોય છે. આવામાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યાં છે. જામનગરમાં એક પત્નીને પતિનું ગીત ગાવું પસંદ ન આવતા આત્મહત્યા કરી લીધી છે.
મળતી માહિતી મુજબ જામનગરના રણજીતસાગર રોડ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં આ ઘટના ઘટી. નેપાળી દંપત્તિમાંના પતિને મોબાઈલ પર પોતાના ગામના લોકોનું ગ્રુપ બનાવીને ગીતો ગાવાનું ગમતું હતું જે પત્નીને ગમતું નહતું. નેપાળી ગુરખાની પત્નીએ પતિની આ ગીત ગાવાની વાત પસંદ ન આવતા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે સમગ્ર ભારતમાં 3જી મે સુધી લોકડાઉન છે. દરેક જણ ઘરમાં કેદ છે અને કોરોના સામે લડત લડી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતમાં હાલ કોરોનાના 3774 કેસ છે જ્યારે 181 લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે