Home> Gujarat
Advertisement
Prev
Next

'અગ્નિપથ યોજના'ના સમર્થન ભાવનગરના યુવકે લોહીથી રક્ષામંત્રીને લખ્યો પત્ર, કહી આ વાત

ભારતીય સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્રારા જાહેર અગ્નિપથ યોજના હાલમાં દેશભરમાં ચર્ચાનો વિષય છે. આ યોજનાને લઇને દરરોજ આગજનીથી માંડીને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. દેશના વિભિન્ન રાજ્યોમાં મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ સ્થિતિ એવી છેક એ ટ્રેનોની અવર જવર રોકી દીધી છે.

'અગ્નિપથ યોજના'ના સમર્થન ભાવનગરના યુવકે લોહીથી રક્ષામંત્રીને લખ્યો પત્ર, કહી આ વાત

Agneepath Scheme Support: ભારતીય સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્રારા જાહેર અગ્નિપથ યોજના હાલમાં દેશભરમાં ચર્ચાનો વિષય છે. આ યોજનાને લઇને દરરોજ આગજનીથી માંડીને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. દેશના વિભિન્ન રાજ્યોમાં મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ સ્થિતિ એવી છેક એ ટ્રેનોની અવર જવર રોકી દીધી છે. હવે આ બધાની વચ્ચે ભાવનગર જિલ્લા તિમાના ગામના નિવાસી અને હાલમાં કચ્છના દયાપારના રહેવાસી 23 વર્ષીય દીપક ડાંગર આહીરે 'અગ્નિપથ યોજના' ના સમર્થનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહને એક પત્ર લખ્યો છે.  

fallbacks

જોકે દીપક ડાંગર આહીરે અગ્નિપથ યોજનાના સમર્થનમાં પત્ર લખીને કહ્યું કે તે પગાર વિના પણ સેનામાં જોડાવવા માટે તૈયાર છે. રક્ષામંત્રીને લખેલા પત્રમાં તેમણે સેનામાં જોડાવવાને લઇને દેશની સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તો બીજી તરફ લોહીથી લખેલા આ પત્રમાં તેમણે સરકારી સંપત્તિઓને નુકાસન પહોંચાડનાર યુવકોને હિંસક વિરોધ પ્રદર્શન રોકવાની અપીલ કરી છે. તમને જણાવી દઇએ કે શનિવારે 'અગ્નિપથ' યોજનાને લઇને થઇ રહેલા વિરોધ વચ્ચે અર્ધસૈનિક દળો અને રક્ષા મંત્રાલયોની નિયુક્તિઓમાં અગ્નિવીરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. 

ગુજરાતના અમદાવાદ શહેરમાં રવિવારે સશસ્ત્ર બળોમાં યુવાનોની ભરતી માટે જાહેર કરેલી કેન્દ્રની 'અગ્નિપથ' યોજનાના વિરોધમાં પરવાનગી વિના એકઠા થયેલા 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક પ્રદર્શનકારીઓએ દાવો કર્યો કે તે 'ગાંધીવાદી' તરીકે આ યોજનાનો વિરોધ કરવા માટે એકત્રિત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More