Important Vitamins For Brain Health: મગજ શરીરનું ફક્ત મહત્વપૂર્ણ અંગ નથી પરંતુ આપણા અસ્તિત્વનું કેન્દ્ર છે. જો મગજ કામ કરવાનું બંધ કરી દે તો આપણું શરીર કોઈ જ કામનું રહેતું નથી. પરંતુ તેમ છતાં લોકો માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી અને ગંભીર ભૂલ કરતા રહે છે. મગજ સંબંધિત સમસ્યાઓ સૌથી ખતરનાક હોય છે. આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ પણ એવી થઈ ગઈ છે જેના કારણે લોકોનું મગજ ધીરે ધીરે નબળું પડી.
આ પણ વાંચો: કિડનીમાં સોજો આવે ત્યારે શરીરમાં દેખાય આ 5 ફેરફાર, ઈગ્નોર કરવાથી કિડની થઈ જાય ડેમેજ
મગજ વિચારવાની અને સમજવાની ક્ષમતા આપે છે અને સાથે જ આખા શરીરનું કામકાજ પણ કંટ્રોલ કરે છે. શરીર માટે જેમ વિટામિન અને મિનિરલ્સ જરૂરી છે તેમ મગજ માટે પણ કેટલાક વિટામિન્સ ખૂબ જ જરૂરી છે. આ વિટામીન જો શરીરમાં ઓછા હોય તો તે મગજના ફંકશનને અસર થાય છે.
આ પણ વાંચો: Watermelon: ઉનાળામાં આ 4 લોકોએ રોજ ખાવું તરબૂચ, જાણો તરબૂચ ખાવાથી થતા લાભ વિશે
મગજ માટે જરૂરી વિટામિન
શરીરમાં જો ફોલિક એસિડ, ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામીન ઈ ઓછું હોય તો તે ડાયરેક્ટ મગજને અસર કરે છે.. આ ત્રણ વિટામિન ઓછા હોય તો મગજની વિચારવાની શક્તિ નબળી પડી જાય છે, યાદશક્તિ નબળી પડી શકે છે અને કેટલાક કેસમાં પર્મનેન્ટ બ્રેન ડેમેજ પણ થઈ શકે છે.
આ પણ વાંચો: Lasoda Benefits: ઉનાળામાં જ મળતાં ગુંદા શરીર માટે નેચરલ ઔષધી, જાણો તેના ફાયદા
ફોલિક એસિડ ઓછું હોવાના લક્ષણ
ફોલિક એસિડ એક પ્રકારનું વિટામીન બી છે જે નવી કોશિકાઓના નિર્માણમાં અને મગજના વિકાસ માટે જરૂરી હોય છે. જો શરીરમાં આ વિટામિન ઓછું હોય તો વ્યક્તિ વારંવાર વસ્તુઓ ભૂલી જાય છે, ચીડીયાપણું રહે છે, ફોકસ કરવાની ખામી રહે છે, થાક અને માનસિક સુસ્તી અનુભવાય છે. લાંબા સમય સુધી આ લક્ષણોને ઇગ્નોર કરવામાં આવે તો બ્રેનફૉગ, ડિપ્રેશન અને ન્યુરોલોજિકલ સમસ્યાઓનું જોખમ વધે છે.
આ પણ વાંચો: Herbal Drink: આ 3 મસાલાનું પાણી સવારે પી લેશો તો આખો દિવસ બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
ઓમેગા 3 ફેટી એસિડની ઉણપના લક્ષણ
મગજ માટે આ ફેટી એસિડ પણ જરૂરી છે. આ ફેટી એસિડ મગજની કોશિકાઓને મજબૂત રાખે છે અને ન્યુરો ટ્રાન્સમીટરને બેલેન્સ કરવામાં મદદ કરે છે. આ વિટામિન ઓછું હોય તો મૂડ સ્વિંગ થાય છે, નવું શીખવાની અને યાદ રાખવાની શક્તિ ઘટી જાય છે. બાળકોમાં માનસિક વિકાસ ધીમો પડી જાય છે. આ વિટામિનની ખામીને ઇગ્નોર કરવામાં આવે તો લાંબા સમયે ડિપ્રેશન, ડિમેન્શિયા જેવી બીમારીઓનું જોખમ વધે છે.
આ પણ વાંચો: નસકોરી ફુટે કે તુરંત આ કામ કરો તો 30 જ સેકન્ડમાં નાકમાંથી લોહી નીકળતું બંધ થઈ જાશે
વિટામીન ઈની ખામીના લક્ષણ
આ એક એન્ટિઓક્સિડન્ટ છે જે મગજની કોશિકાઓને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. તેના કારણે બ્રેન એજિંગ સ્લો થઈ જાય છે. જો આ વિટામિન ઓછું હોય તો યાદશક્તિ નબળી પડી જાય છે, ચાલવામાં સંતુલન રહેતું નથી, આંખની સમસ્યા રહે છે, હાથ પગમાં નબળાઈ આવે છે. વિટામીન ઈ ગંભીર રીતે ઓછું હોય તો ન્યુરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે અને મગજની કોશિકાઓને નુકસાન પહોંચે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે