Home> Health
Advertisement
Prev
Next

Instant Energy: આખો દિવસ આળસ અને થાક અનુભવો છો ? આ વસ્તુઓ ખાવાથી શરીરમાં આવશે ઇન્સ્ટન્ટ એનર્જી

Food for Instant Energy: શું તમને પણ સતત આળસ અને થાકનો અનુભવ થાય છે ? તો આજે તમને 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને ખાવાથી શરીરમાં ઇન્સ્ટન્ટ એનર્જી આવી જાય છે. 

Instant Energy: આખો દિવસ આળસ અને થાક અનુભવો છો ? આ વસ્તુઓ ખાવાથી શરીરમાં આવશે ઇન્સ્ટન્ટ એનર્જી

Food for Instant Energy: આખો દિવસ વ્યસ્ત રહ્યા હોય અને દોડધામ કરી હોય તેને થાક અનુભવાય એ તો સમજાય એવી વાત છે. પરંતુ બેઠાળુ જીવનશૈલી હોય તેને પણ જો સતત આળસ અને થાક અનુભવાતો હોય તો તબિયત પર અને આહાર પર ધ્યાન આપવું જોઈએ. ઓછી ઊંઘ, માનસિક સ્ટ્રેસના કારણે પણ ઘણીવાર થાક અનુભવાય છે. આ સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ખાવાથી શરીરને એનર્જી મળે છે અને થાક દુર થાય છે.

fallbacks

આ પણ વાંચો: Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો

જે લોકોને શરીર થાકેલું લાગતું હો તેમણે કેફીન કે શુગર લેવાથી બચવું જોઈએ. કારણ કે આ વસ્તુઓ અસ્થાયી ઊર્જા આપે છે. તેના બદલે કેટલાક નેચરલ ખાદ્ય પદાર્થ ખાવા જોઈએ. આ વસ્તુઓ શરીરને તાજગી પણ આપે છે અને પોષણ પણ આપે છે. આજે તમને આવા 5 ફુડ વિશે જણાવીએ.

આ પણ વાંચો: Healthy Drink: યુરિક એસિડ લેવલને ઘટાડી શકે છે આ 5 દેશી ડ્રિંક્સ, દવાની જરૂર નહીં પડે

ઓટ્સ

ઓટ્સ એનર્જી માટે બેસ્ટ અને પોષણથી ભરપુર વસ્તુ છે. તે એનર્જી આપે છે અને તેમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઓટ્સ ખાવાથી શરીરને લાંબા સમય સુધી ઊર્જા મળે છે અને તાજગી અનુભવાય છે. 

કેળા

કેળામાં નેચરલ શુગર, પોટેશિયમ હોય છે. જે શરીરને ઈંસ્ટેંટ એનર્જી આપે છે અને કેળા સ્નાયૂને પણ લાભ કરે છે. જ્યારે પણ સુસ્તી લાગે ત્યારે એક કેળું ખાવું. તમે જાતે અનુભવશો કે શરીરમાં તાજગી આવી ગઈ છે. 

આ પણ વાંચો: આ 5 સ્કિન પ્રોબ્લેમ હોય શકે છે ડાયાબિટીસનું લક્ષણ, એક પણ દેખાય તો તુરંત કરાવજો ચેકઅપ

પાણી

ઘણીવાર થાકનું મુખ્ય કારણ શરીરમાં પાણીની ઊણપ હોય છે. પાણી શરીર માટે જરૂરી છે. જો શરીર ડિહાઈડ્રેટેડ હોય તો સુસ્તી અને થાક લાગે છે. તેથી દિવસમાં પર્યાપ્ત પાણી પીવું.

નટ બટર

નટ બટરમાં પ્રોટીન, હેલ્ધી ફેટ અને ફાઈબર હોય છે. નટ બટર ખાવાથી શરીરને એનર્જી મળે છે અને બ્રેન પણ એક્ટિવ થઈ જાય છે. 

આ પણ વાંચો: Breakfast: નાસ્તો કરતી વખતે કરેલી આ 5 ભૂલથી બગડે છે શરીરની તંદુરસ્તી, સુધારો આદત

ઈંડા

ઈંડામાં હાઈ ક્વોલિટી પ્રોટીન હોય છે જે સ્નાયૂને મજબૂત બનાવે છે. તેનાથી શરીરને એનર્જી મળે છે અને ઈંડામાં રહેલા એમીનો એસિડ થાક દુર કરવામાં મદદ કરે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More