Benefits of No Sugar Diet: ખાંડ આપણા શરીરમાં રોજ અલગ અલગ વસ્તુના માધ્યમથી જાય છે. સવારે ચા, કોફી, દૂધમાં ખાંડ ઉમેરીને પીવામાં આવે છે. તો સાથે જ ભોજનમાં પણ ખાંડનો ઉપયોગ થાય છે. ઘણા લોકો રોજ મીઠાઈ પણ ખાતા હોય છે. આ સિવાય દિવસ દરમિયાન ખાવા-પીવાની અલગ અલગ વસ્તુના માધ્યમથી શરીરમાં ખાંડ જાય છે. એક્સપર્ટ અનુસાર દિવસ દરમિયાન વધારે માત્રામાં ખાંડ લેવી શરીર માટે નુકસાનકારક છે. તેથી સમય રહેતા ખાંડ ખાવાનું ઓછું કરી બંધ કરી દેવું જોઈએ.
આ પણ વાંચો: સવારે ખાલી પેટ લીલા ધાણાના પાન ચાવી લો, પાચન સુધરશે અને કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર
ખાંડ આહારનો મહત્વનો ભાગ છે તેથી તેને છોડી દેવી મુશ્કેલ લાગે છે. પરંતુ શરુઆત તમે 15 દિવસના એક ચેલેન્જ સાથે કરી શકો છો. હેલ્થ એક્સપર્ટ અનુસાર શરુઆતમાં 15 દિવસ માટે ખાંડ ખાવાનું બંધ કરો. આ 15 દિવસ દરમિયાન શરીરમાં તમને એવા પોઝિટિવ ફેરફાર દેખાવા લાગશે જેને ધ્યાનમાં રાખશો તો ખાંડ ખાવાનું બંધ કરવું મુશ્કેલ નહીં લાગે.
15 દિવસ ખાંડ ન ખાવાથી શરીરમાં થતા ફેરફાર
આ પણ વાંચો: Cancer: અન્નનળીમાં કેન્સર વધતું હોય ત્યારે દેખાય આ લક્ષણો, એસિડીટી સમજી ઈગ્નોર ન કરો
મેમરી સુધરશે
15 દિવસ સુધી જો તમે ખાંડ ખાવાનું બંધ કરી દેશો તો મેન્ટલ હેલ્થ સુધરશે. સૌથી સારી બાબત એ દેખાશે કે તમારી યાદશક્તિ સારી થવા લાગશે. રિસર્ચ અનુસાર વધારે ખાંડનું સેવન કરવાથી બ્રેન ફંકશન નબળું પડી જાય છે. એટલે કે જો તમે ખાંડ ઓછી કરી દેશો તો બ્રેન ફંકશન બરાબર કામ કરશે.
આ પણ વાંચો: હાડકાનું કેન્સર થાય ત્યારે જોવા મળે છે આ લક્ષણો, 90 ટકા લોકો સામાન્ય સમજી ઈગ્નોર કરે
ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટશે
ખાંડ ખાવાનું છોડી દેશો તો ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ખાંડ વધારે માત્રામાં ખાવાથી બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. તેથી સમય રહેતા ખાંડ ખાવાનું છોડી દેવામાં જ ભલાઈ છે.
આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો આ 3 વસ્તુ અજમાવો, નસોમાં જામેલું બ્લોકેજ ઝડપથી સાફ થશે
વજન ઘટવા લાગશે
જો તમે 15 દિવસ સુધી ખાંડ નથી ખાતા તો અનુભવશો કે તમારા વજનમાં જાતે જ ઘટાડો થવા લાગ્યો છે. શરીરમાં જતી કેલેરી ઓછી થઈ જાય છે તો વજન કંટ્રોલ કરવું સરળ થઈ જાય છે.
આ પણ વાંચો: લીવર સડવા લાગે ત્યારે રાત્રે દેખાય છે આ લક્ષણ, આ લક્ષણ દેખાય તો ન કરતા ઈગ્નોર
ચહેરા પર દેખાશે ગ્લો
ખાંડ ખાવાનું બંધ કરી દેશો તો સ્કિન પર નેચરલ ગ્લો વધશે. ખાંડ છોડવાથી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. વધારે ખાંડ ખાતા હોય તે લોકોના ફેસ પર પફીનેસ અને સોજા દેખાય છે. ખાંડ ખાવાનું બંધ કરવાથી સ્કિનની સમસ્યા દુર થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે