Navratri 2023 : નવરાત્રિના તહેવાર પહેલા જ હાર્ટએટેક ખેલૈયાઓ માટે ખતરો બની રહ્યો છે. નવરાત્રિ પહેલા જ ગુજરાતમાં ગરબા સમયે અનેક લોકોને હાર્ટએટેક આવ્યો છે, અને કેટલાકનો જીવ ગયો છે. ત્યારે જો તમે ગરબા કરવા જવાના હોય તો હવે સાવચેતી રાખવાની જરૂર આવી ગઈ છે. આવુ પહેલા ક્યારેય નથી થયુ કે ગરબા રમતા સમયે ખેલૈયાઓને ડર હોય. પરંતુ આ વખતે હાર્ટએટેકથી ડરવાની જરૂર આવી ગઈ છે. આ નવરાત્રિથી હાર્ટએટેકથી સાવચેત રહેવાની જરૂર છે. પરંતુ ચાલુ ગરબામાં તમને અથવા તમારી આસપાસ કોઈને તકલીફ થાય તો સૌથી પહેલા શું કરવુ તેની સલાહ તબીબોએ આપી છે. ચાલુ ગરબામાં છાતીમાં દુખાવો ઉપડે કે ગભરામણ થાય તો સૌથી પહેલા આ કરજો.
ગરબા રમતા છાતીમાં દુખાવો ઉપડે તો આટલું કરજો
આવા કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેથી તબીબો સલાહ આપી રહ્યા છે કે, ગરબા રમતા સમયે છાતીમા દુખાવો થાય તો તેને અવગણશો નહિ. તરત જ સાઈડમાં નીકળી જજો અને આયોજકોની મદદથી તબીબી ટ્રીટમેન્ટ લઈ લેજો. તબીબી સલાહથી તાત્કાલિક સારવાર શરૂ કરાવો. છાતીમાં દુખાવો ઉપડે તો ગરબા રમવાનું ચાલુ ન રાખતા. બેચેની અનુભવાય તો તાત્કાલિક બેસી જાઓ. હલન-ચલન ન કરવું. આવા કિસ્સામાં છાતીના દુખાવાને અવગણશો નહિ.
રાજકોટમાં આ ભાઈની ટિકિટ પાક્કી : પાટીલે કહ્યું, લોકસભામાં આવે તો અમે લઈ જવા તૈયાર
અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા.
ગુજરાતમા નવરાત્રિના પહેલા નોરતે મોતના ખબર આવ્યા, સુરત-મહેસાણામાં બે લોકોને હાર્ટએટેક
ખેલૈયાઓે મહત્વના સૂચનો
સાથે જ નવરાત્રિ દરમિયાન નિયમિત દવા લેવી અને ડોક્ટરોની સલાહ મુજબ ગરબા રમવા. ખેલૈયાઓએ ગરબા પહેલાં ઇકો અને ટીએમટી રીપોર્ટ કરાવવા સલાહ આપી છે.
ગુજરાતનો ખૂણેખૂણો ચમકશે : આવતીકાલથી રાજ્યમાં ફરી મહાસફાઈ અભિયાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે