Ginger Health Benefits: આદુનો ઉપયોગ સવારની ચા થી લઈને રસોઈમાં વ્યાપક રીતે કરવામાં આવે છે. આદુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. કારણ કે આદુમાં એવા ગુણ હોય છે જે શરદી, ઉધરસ અને કેટલીક ગંભીર બીમારીઓની સારવારમાં પણ મદદરૂપ થાય છે. આદુ આયરન, કેલ્શિયમ, આયોડિન, ક્લોરિન અને વિટામીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે કેટલીક બીમારીઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો: Dark Chocolate: દરેક યુવતીએ પીરિયડ્સમાં ખાવી જોઈએ ડાર્ક ચોકલેટ, જાણો કારણ
જણાવે છે કે આદુમાં એન્ટિ ઓક્સિડન્ટ અને અન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આદુ ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ મળે છે. આદુ ખાવાથી ત્વચાને પણ લાભ થાય છે. આદુ ખાવાથી શરીરમાં બ્લડ ફ્લો સુધરે છે. આદુનું સેવન કરવાથી શરીરને થતા લાભ વિશે તમને પણ જણાવીએ.
આ પણ વાંચો: આ 3 વસ્તુ સાથે લસણ ભુલથી પણ ન ખાતાં, લિવર થઈ જશે ડેમેજ, શરીરને થશે ગંભીર નુકસાન
આદુથી થતા ફાયદા
- જો તમને જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય કે ખાટા ઓડકાર આવતા હોય તો આદુ ખાવું જોઈએ. આદુ ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે. તેના માટે જમ્યાની દસ મિનિટ પછી એક કપ પાણીમાં 1 ચમચી આદુનો રસ ઉમેરીને પીવો.
- જો તમને સવારે ઊઠીને ઉબકા કે ઉલટી જેવું થતું હોય તો મોર્નિંગ સીકનેસના લક્ષણોને દૂર કરવામાં પણ આદુ મદદ કરી શકે છે.
આ પણ વાંચો: Liver Health: ઉનાળામાં ફક્ત ગરમીના કારણે જ નહીં લિવરના રોગના કારણે પણ ભૂખ નથી લાગતી
- આદુમાં જીંજરોલ નામનું બાયો એક્ટિવ હોય છે જે પાચન એન્જાયમને ઉત્તેજિત કરી પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેનાથી ગેસ, એસીડીટી અને સોજા જેવી સમસ્યાથી પણ રાહત મળે છે.
- આદુમાં એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આદુનું સેવન કરવાથી અથવા તો આદુનો રસ સાંધામાં લગાડવાથી સોજો અને દુખાવો ઓછો થઈ શકે છે.
આ પણ વાંચો: Acidity: અડધા ગ્લાસ દૂધમાં આ વસ્તુ ઉમેરી પી જાવ, 10 મિનિટમાં શાંત થઈ જશે એસિડિટી
- માસિક દરમિયાન કમરમાં દુખાવો થતો હોય તો પણ આદુ મદદરૂપ થઈ શકે છે. આદુનું સેવન આ રીતે કરવાથી દુખાવો દૂર થઈ જશે.
આ પણ વાંચો: આ અંગોમાં સોજો એટલે ફેટી લિવર બની રહ્યું છે સિરોસિસ, લિવર સડી જાય તે પહેલા કરો આ કામ
આદુનું સેવન કરવાની સાચી રીત
સામાન્ય રીતે આદુનો ઉપયોગ ચા કે દાળ શાકમાં ઉમેરીને કરવામાં આવે છે. પરંતુ ઉપર જણાવેલા ફાયદા મેળવવા હોય તો આદુનું પાણી પીવાનું રાખો. તેના માટે જરૂર અનુસાર પાણી ઉકાળો અને તેમાં આદુ ખમણીને ઉમેરી દો. પાણી ઉકળી જાય પછી તેને ઠંડુ કરીને પીવાનું રાખો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે