Benefits Of Nutmeg Powder: ભારતીય રસોડું એક ખજાનો છે. તેમાં ઘણા મસાલા હોય છે જે સ્વાસ્થ્ય માટે માત્ર એક જ નહીં પરંતુ અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. આ મસાલાઓમાં માત્ર સ્વાસ્થ્ય સુધારવાના ગુણો જ નથી, તેનું સેવન શરીરને અનેક પ્રકારની બીમારીઓથી પણ બચાવે છે. આવા જ એક મસાલાનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ મસાલો જાયફળ છે. જાયફળનો સામાન્ય રીતે ખોરાકમાં ઓછો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ જે વસ્તુઓમાં તે ઉમેરવામાં આવે છે તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ અનેક ગણો વધી જાય છે. અહીં જાણો કે કઈ રીતે જાયફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે કઈ બીમારીઓનું જોખમ ઘટાડે છે.
જાયફળનું સેવન કરવાના ફાયદા
એક ચપટી જાયફળ પાઉડર સ્વાસ્થ્યને માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદા આપે છે. જાયફળમાં મેગ્નેશિયમ, ઝિંક, કોપર, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. આ સિવાય જાયફળ અન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે જાયફળનો પાવડર, એક્સટ્રેક્સ અને તેલનો ઉપયોગ કરવામાં આવે છે.
વ્હીકલ ઇન્સ્યોરન્સ હોવા થતા નથી મળી રહ્યો ક્લેમ, આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન
દુખાવાથી મળે છે રાહત
જાયફળ સાંધાના દુખાવામાં રાહત અપાવવામાં અસરકારક છે. શરીરમાં ક્યાંય પણ સોજો કે દુખાવો હોય તો જાયફળનું સેવન કરવાથી તેનાથી છૂટકારો મળે છે. એક ચપટી જાયફળના પાવડરને પાણીમાં ભેળવીને પી શકાય છે. આ સિવાય જાયફળના પાઉડરને નારિયેળના તેલમાં ભેળવીને પછી તેને દુખાવાની જગ્યા પર લગાવવાથી પણ ફાયદો થાય છે.
મગજને મળશે છે ફાયદો
જાયફળનું સેવન મગજ માટે પણ સારું છે. તે મગજની શક્તિ વધારે છે અને યાદશક્તિ વધારવામાં અસરકારક છે. એક ચપટી જાયફળને પાણીમાં મિક્સ કરીને પીવો અથવા તમે તેને તમારી કોફી, ચા અને ઉકાળામાં ઉમેરી શકો છો.
કમાણી કરવાની મોટી તક! હવે માત્ર 100 રૂપિયાથી નવા ફંડમાં શરૂ કરો રોકાણ, થઈ જશો માલામા
પાચન માટે પણ છે સારું
પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે જાયફળનું સેવન પણ કરી શકાય છે. જાયફળ પેટનું ફૂલવું, કબજિયાત, પેટનો ગેસ અને દુખાવો ઘટાડવામાં અસરકારક છે. તેનાથી ડાયેરિયાની સમસ્યા પણ દૂર થાય છે. તેને સૂપ અથવા ડ્રિંકમાં ઉમેરીને પીવો.
બ્લડ પ્રેશર પણ થાય છે ઓછું
બ્લડ પ્રેશર ઘટાડવા માટે જાયફળનું સેવન ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક છે. આનાથી શરીરને સ્ટ્રેસ રિલિવિંગ પ્રોપર્ટીઝ પણ મળે છે.
સરકારી કર્મચારીઓ મૌજે મૌજ! સરકાર આપશે 42 દિવસની એકસ્ટ્રા રજા, જાણો કેવી રીતે
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે