Milk With Fennel seeds: વરીયાળીનો સ્વાદ મીઠો હોય છે અને તેમાં ખાસ પ્રકારની સુગંધ હોય છે. જમ્યા પછી થોડી વરીયાળી ચાવી લેવાથી ભોજનનું પાચન સારી રીતે થાય છે અને તેનાથી મોં માંથી દુર્ગંધ આવવાની સમસ્યા પણ રહેતી નથી. વરીયાળીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમાં કેટલાક લોકો સવારે દૂધમાં વરિયાળીનો પાવડર મિક્સ કરીને પીતા હોય છે. સવારે નાસ્તાની સાથે વરીયાળી વાળું દૂધ પીવાથી સ્વાસ્થ્યના ઘણા બધા ફાયદા થાય છે. આજે તમને જણાવીએ શિયાળામાં વરીયાળી વાળું દૂધ પીવાથી થતા ફાયદા વિશે.
આ પણ વાંચો: High BP: આ 5 ફળનો જ્યૂસ પીવાથી કંટ્રોલમાં રહેવા લાગશે હાઈ બ્લડ પ્રેશર
વરીયાળીવાળું દૂધ પીવાના ફાયદા
1. શિયાળો શરૂ થાય એટલે ખાવા પીવાનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે પાચન સંબંધિત સમસ્યા રહે છે. ઘણી વખત વધારે ભોજન કરી લીધા પછી પેટ ભારી થઈ જાય છે. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે પાચનશક્તિ વધારવા માટે વરીયાળી વાળું દૂધ પીવું જોઈએ. વરીયાળી વાળું દૂધ પીવાથી પાચનશક્તિ બુસ્ટ થાય છે અને પેટની સમસ્યાથી રાહત મળે છે.
આ પણ વાંચો: બ્લડ શુગર લેવલ હાઈ રહે છે ? રાત્રે ચાવીને ખાઈ લો આ વસ્તુ, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ
2. વરીયાળીમાં ડાયટરી ફાઇબર હોય છે જે શરીરના મેટાબોલિક રેટને વધારે છે. તે સરળતા થી કેલેરી બર્ન કરે છે. વરીયાળી ક્રેવિંગને ઘટાડવામાં પણ મદદગાર છે. જો તમને સવારે નાસ્તામાં વરીયાળી વાળું દૂધ પી લ્યો છો તો વારંવાર ખાવાની ક્રેવિંગ ઓછી થશે. જેના કારણે ઓવર ઈટીંગના કારણે વધતું વજન અટકી જશે.
આ પણ વાંચો: ફણગાવેલી મેથી ખાવાની કરો શરુઆત, પાચનથી લઈ હાર્ટ હેલ્થ સુધરશે, 5 તકલીફો દુર થશે
3. દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી શરીરનું હિમોગ્લોબિન વધે છે. જે લોકોને શરીરમાં રક્તની ઉણપ હોય તેમણે નિયમિત એક ગ્લાસ વરિયાળી વાળું દૂધ પીવું જોઈએ.
4. દૂધમાં વરિયાળી ઉમેરીને પીવાથી શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી ઉપરાંત ફોસ્ફરસ પણ મળે છે. વરીયાળી અને દૂધના તત્વો હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે