Home> Health
Advertisement
Prev
Next

દિવસ દરમિયાન સમય મળે ત્યારે ખાઈ લેવા 1 મુઠ્ઠી દાળિયા, બ્લડ સુગર અને વધારે વજન બંને રહેશે કંટ્રોલમાં

Roasted Chana Benefits: જેમનું બ્લડ સુગર લેવલ વધારે રહેતું હોય અને વજન પણ વધારે હોય તેમણે રોજ એક મુઠ્ઠી દાળિયા ખાવા જોઈએ. દાળિયા ખાવાથી આ બંને સમસ્યા કંટ્રોલમાં રહે છે. આ સિવાય પણ નિયમિત રીતે દાળિયા ખાવાથી સ્વાસ્થ્યને ફાયદા થાય છે. ચાલો તમને જણાવીએ કે રોજ દાળિયા ખાવાથી શરીરને કયા કયા ફાયદા થાય છે.

દિવસ દરમિયાન સમય મળે ત્યારે ખાઈ લેવા 1 મુઠ્ઠી દાળિયા, બ્લડ સુગર અને વધારે વજન બંને રહેશે કંટ્રોલમાં

Roasted Chana Benefits: સ્વાસ્થ્ય સારું રહે તે માટે ડેઇલી ડાયેટમાં કેટલાક સુપરફૂડને સામેલ કરવા જોઈએ. દાળિયા આવા જ સુપર ફૂડમાંથી એક છે. દાળિયામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે. દાળિયા શરીરની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદ કરે છે. દાળિયાને લોકો અલગ અલગ રીતે ઉપયોગમાં લેતા હોય છે. જો તમે નિયમિત રીતે એક મુઠ્ઠી દાળિયા ખાવાનું રાખો છો તો તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. 

fallbacks

ખાસ કરીને એવા લોકો જેમનું બ્લડ સુગર લેવલ વધારે રહેતું હોય અને વજન પણ વધારે હોય તેમણે રોજ એક મુઠ્ઠી દાળિયા ખાવા જોઈએ. દાળિયા ખાવાથી આ બંને સમસ્યા કંટ્રોલમાં રહે છે. આ સિવાય પણ નિયમિત રીતે દાળિયા ખાવાથી સ્વાસ્થ્યને ફાયદા થાય છે. ચાલો તમને જણાવીએ કે રોજ દાળિયા ખાવાથી શરીરને કયા કયા ફાયદા થાય છે.

આ પણ વાંચો: દેશી ઘીમાં આ વસ્તુઓ ઉમેરી ખાશો તો શરીરને થશે ગજબના ફાયદા, નખમાં પણ નહીં રહે રોગ

દાળિયા ખાવાથી થતા ફાયદા

- ડાયાબિટીસ હોય તેમણે રોજ એક મુઠ્ઠી દાળિયા ખાવા જોઈએ. દાળિયા શરીરમાંથી ગ્લુકોઝને શોષી લે છે જેના કારણે શરીરમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સુગર કંટ્રોલ કરવા માટે રોજ એક મુઠ્ઠી દાળિયા ખાવા જોઈએ.

- જે લોકોને કબજિયાત રહેતી હોય અને પેટ સાફ ન આવતું હોય તેમણે આ સમસ્યા મટાડવા માટે એક મુઠ્ઠી દાળિયા ખાવાની શરૂઆત કરવી જોઈએ. દાળિયા ફાઇબરથી ભરપૂર હોય છે અને તે કબજિયાત સહિતની પેટની સમસ્યાથી છુટકારો અપાવે છે.

આ પણ વાંચો: અનેક ગુણોનો ભંડાર છે ગુલાબી જામફળ, બ્લડ સુગર કંટ્રોલમાં રાખવા ઉપરાંત કરે છે આ ફાયદા

- દાળિયામાં આયરન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. રોજ દાળિયા ખાવાથી શરીરમાં રક્તની ઉણપ સર્જાતી નથી. દાળિયા ખાવાથી હિમોગ્લોબિન લેવલ વધે છે અને એનિમિયાની બીમારી પણ દૂર થઈ જાય છે.

- ફાઇબરથી ભરપૂર દાળિયા ખાવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને તમે ઓવરિટિંગ કરવાથી બચી જાઓ છો. જેના કારણે તમારું વજન વધતું અટકી જાય છે.

આ પણ વાંચો: પેટની તકલીફો માટે રામબાણ છે જીરાનું પાણી, નિયમિત પીવાથી શરીરમાં જોવા મળશે આ ફેરફાર

- શિયાળામાં શરદી ઉધરસ કફ જેવી બીમારી પરેશાન કરે છે. આ બીમારીઓથી બચવું હોય તો રોજ એક મુઠ્ઠી દાળિયા ખાવાની શરૂઆત કરી દો તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More