Home> Health
Advertisement
Prev
Next

Ghee: એક ચમચી ઘી હુંફાળા પાણીમાં ઉમેરી પીવા લાગો, 7 દિવસમાં તબીયતમાં દેખાશે આ સુધારા

Ghee With Warm Water: ઘી ખાવાની રીત દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. પરંતુ જે રીત આજે તમને જણાવીએ તેને ફોલો કરશો તો તબિયતમાં 7 દિવસમાં જ જબરદસ્ત સુધારા જોવા મળશે. 

Ghee: એક ચમચી ઘી હુંફાળા પાણીમાં ઉમેરી પીવા લાગો, 7 દિવસમાં તબીયતમાં દેખાશે આ સુધારા

Ghee With Warm Water: ઘી નો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. લોકો અલગ અલગ રીતે ઘીને પોતાની ડાયટમાં સામેલ કરે છે. ઘણા લોકો ઘીને દવા તરીકે અલગ અલગ વસ્તુ સાથે પણ લેતા હોય છે. ખાવા પીવાની વસ્તુમાં પણ ઘી ઉમેરીને તેનો સ્વાદ લેવામાં આવે છે. પરંતુ ઘી ખાવાની સાચી રીત આજે તમને જણાવીએ. આજે જે રીતે ઘી ખાવાનું જણાવીએ છીએ તે કરવાની શરૂઆત કરશો તો 7 દિવસની અંદર જ શરીરમાં જ ગજબના ફેરફાર જોવા મળશે. 

fallbacks

આ પણ વાંચો: Water Benefits: રોજ બસ આટલા ગ્લાસ પાણી પીવો, 5 બીમારીઓથી મળી જશે છુટકારો

ઘી ને રોજ તમે આ રીતે ખાવાનું શરૂ કરશો તો કબજિયાત જેવી તકલીફ ગણતરીના દિવસોમાં મટી જશે. સૌથી મહત્વની વાત એ છે કે ઘી ખાવાની આ રીત મુશ્કેલ પણ નથી. તબિયતમાં સુધારા માટે ઘીને હુંફાળા પાણી સાથે લેવાનું છે. 

રોજ સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં એક ચમચી ઘી ઉમેરીને પી જવાનું રાખો. સવારના સમયે આ પાણી પી લીધું તો તમને સૌથી વધુ ફાયદો થશે. દિવસની શરૂઆત ગરમાગરમ ચા પીને કરવાને બદલે હુંફાળા પાણીમાં એક ચમચી ઘી ઉમેરીને પીવાનું રાખો. જો તમે આ રીતે ઘી ખાવાનું શરૂ કરશો તો શરીરમાં નીચે દર્શાવ્યા અનુસારના ફેરફાર જોવા મળશે. 

આ પણ વાંચો: Garlic: ઘીમાં શેકેલું લસણ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણો

પાણી સાથે ઘી પીવાના ફાયદા 

- સવારના સમયે ખાલી પેટ હુંફાળા પાણીમાં ઘી ઉમેરીને પીવાથી વર્ષો જૂની કબજિયાત પણ મટી જાય છે. પાણી સાથે ઘી પીવાનો આ સૌથી મોટો ફાયદો છે. 

- હુંફાળા પાણી સાથે ઘી ઉમેરીને પીવાથી મેટાબોલિઝમ પ્રોસેસ સુચારું થઈ જાય છે. જેના કારણે અપચાની તકલીફ રહેતી નથી. જે લોકોનું પાચન નબળું હોય અને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય આ નુસખો તેમના માટે રામબાણ છે. 

આ પણ વાંચો: સાંધામાં જામેલા યુરિક એસિડને તોડીને બહાર કાઢી નાખશે આ વસ્તુ, દુખાવો તુરંત મટશે

- જે લોકોને પોતાનું વજન ઘટાડવું હોય તેવો પણ હૂંફાળા પાણી સાથે ઘી લઈ શકે છે. ઘી પીવાથી ચરબી ઓછી થાય છે. 

- ઘીનું સેવન કરવાથી શરીર પર તે દવા જેવી અસર કરે છે. હુંફાળા પાણીમાં ઘી ઉમેરીને પીવાથી મેમરી શાર્પ થાય છે. 

- ઘી બાળકોની સાથે વડીલો માટે પણ સારું છે. સવારે ગરમ પાણીમાં ઘી ઉમેરીને પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More