Giloy Health Benefits: મોર્ડન મેડિકલ સાયન્સ પહેલા બીમારીઓ મટાડવા માટે નેચરલ રેમેડીનો જ ઉપયોગ થતો હતો. બીમારીઓની સારવાર માટે ઔષધીય ગુણ ધરાવતા ઝાડના પાન, ફળ, તેના બી અને મૂળનો ઉપયોગ કરવામાં આવતો. આજે તમને આવી જ એક જડીબુટ્ટી વિશે જણાવીએ જેના પાન સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાથી લઈને ડાયાબિટીસ જેવી ગંભીર તકલીફમાં પણ દવા જેવી અસર કરે છે.
આ પણ વાંચો: આંખોમાં થતી આ સમસ્યાઓ ફેટી લિવરનું લક્ષણ, સમયસર ધ્યાન આપો તો લિવર ડેમેજ ન થાય
આયુર્વેદમાં અમૃત ગણાતા ગીલોયના પણ શક્તિશાળી ઔષધી છે. ગીલોય રોગ સામે લડવામાં મદદ કરે છે અને શરીરને સ્વસ્થ તેમજ ઉર્જાથી ભરપૂર બનાવે છે. ગીલોયનો ઉપયોગ વર્ષોથી બીમારીઓના ઉપચારમાં કરવામાં આવે છે. ગીલોયના પાનમાં અદભુત ગુણ હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. આજે તમને ગીલોયના પાંચ એવા ફાયદા વિશે જણાવીએ જે દૈનિક જીવનમાં તમને પણ ઉપયોગી થશે.
આ પણ વાંચો: Fennel Seeds: ઉનાળામાં 4 રીતે વરિયાળીનો ઉપયોગ કરો, કાળઝાળ ગરમીમાં પણ બીમાર નહીં પડો
તાવ માટે ગીલોયનો ઉપયોગ
સેવન કરવાથી તાવ દરમિયાન રાહત થઈ જાય છે. ગીલોય શરીરના તાપમાનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગીલોયના પાન વિશેષ રીતે ડેન્ગ્યુ અને મલેરિયા જેવા તાવમાં પ્રભાવિત સાબિત થાય છે.
આ પણ વાંચો: ઉનાળામાં ભીંડા-બટેટા છોડો, ઠંડી તાસીરના આ 5 શાક ખાવાનું રાખો, શરીર ઠંડક કરશે આ શાક
પાચન સુધારવા માટે ગીલોય
ગીલોયના પાનનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને ગેસ, અપચો, કબજિયાત, એસિડિટી જેવી તકલીફો મટાડવામાં મદદરૂપ થાય છે. ગીલોયનું સેવન કરવાથી આંતરડા સ્વસ્થ રહે છે અને શરીરની અંદરથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે.
આ પણ વાંચો: Healthy Heart: આહારમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, હૃદયના રોગ થવાનું જોખમ અડધું થઈ જશે
ડાયાબિટીસમાં ફાયદાકારક
ગિલોયના પાનનું સેવન ડાયાબિટીસમાં દર્દીઓ માટે ફાયદાકારક છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. ગીલોયમાં એવા ગુણ હોય છે જે ઇન્સ્યુલિનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. તેનાથી ડાયાબિટીસના લક્ષણોને કંટ્રોલ કરી શકાય છે
આ પણ વાંચો: એન્ઝાઈટી-સ્ટ્રેસથી છુટકારો આપશે આ 3 ફુડ, આ વસ્તુઓ ખાશો તો દવાઓ ગળવાનો વારો નહીં આવે
સાંધાના દુખાવા
ગીલોયના પાનનું સેવન કરવાથી સાંધાના દુખાવાથી રાહત મળે છે. ગીલોયના પાનમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સોજા અને દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. ગીલોયનું નિયમિત સેવન કરવાથી સાંધાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.
આ પણ વાંચો: લીવરમાં જામેલી ગંદકી સાફ કરી નાખે છે આ નેચરલ ડ્રિંક્સ, ટ્રાય કરો ફાયદો તુરંત દેખાશે
ગીલોયના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો ?
તાજા ગીલોયના પાનને પીસી અને તેનો રસ કાઢી લેવો. આ રસની એક ચમચી દિવસમાં એક અથવા તો બે વખત પાણી સાથે પી લેવી. તમે ગિલોયના પાનને પાણીમાં ઉકાળીને તેનો કાઢો પણ બનાવી શકો છો. આ કાઢો નિયમિત પી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે