Health Tips: જો તમને એવું લાગતું હોય કે તમે રોજિંદા જીવનમાં તમારા સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખી રહ્યા છો તો તમારી આ પાંચ આદતો પર નજર નાખવાનો સમય આવી ગયો છે. અમુક પ્રકારના અગત્યનાં પગલાંઓ ભરી વધુ સકારાત્મક જીવનશૈલી તરફ આગળ વઘી શકાય છે જેથી તમે થોડા સમયમાં જ તમારી જાત પ્રત્યે સારું અનુભવી શકો.
સતત લાંબા સમય સુધી બેસી રહેવું
એક રિસર્ચ અનુસાર, જો કોઈ વધુ સમય સુધી બેઠાં રહે છે તો તેમને હૃદયરોગ થવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત કેન્સર અને ડાયાબિટીસ સહિત સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓની પણ સંભાવના રહે છે. તમે જેટલો વધુ સમય બેસીને વિતાવશો, તેટલું જ વહેલું તમે મૃત્યુના જોખમને આમંત્રણ આપી રહ્યા છો. સર્વે દર્શાવે છે કે લોકો લાંબા સમય માટે સતત બેસીને કામ કરનારાઓની સંખ્યા વધી છે. આ ચિંતાજનક વાત છે એટલે જ કાળજીપૂર્વક પગલાં લેવાનું હવે મહત્વપૂર્ણ બન્યું છે. સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ટાઈમર સેટ કરવું. તમારા મોબાઇલ ફોન પર એલાર્મ લગાવો અને દર અડધા કલાકે ઉઠવા માટે તેનો રીમાઇન્ડર તરીકે ઉપયોગ કરો. તેનાથી નિયમિત વિરામ લેવા માટેની આદત પડશે. જો તમને ફક્ત લટાર મારવામાં કંટાળો આવે છે અથવા એવું લાગે છે કે તમે જે કરી રહ્યા છો તેનો કોઈ હેતું નથી, તો સાથે પોડકાસ્ટ અથવા ઑડિઓબુકનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. સમય પસાર કરવા માટે આ એક સરસ રીત છે. આમ શારિરીક પ્રવૃત્તિઓ સાથે સતત જોડાયેલા રહો.
અલ્પાહાર
અવ્યવસ્થિત અલ્પાહાર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે કારણ કે તે ઘણીવાર કેલેરી, પ્રોટીન જેવી સમસ્યાઓને નોતરે છે. જો તમે 'સ્નેકિંગ' (નાસ્તો) કરવા માંગો છો, તો આમાં કંઈ ખોટું નથી પરંતુ હા નાસ્તાના મોટા ફેમેલી સાઈઝ્ડ પેકેટ્સ તમારા હાથમાં ન આવે. એટલે કે એક સમયે થોડી માત્રામાં જ તેને લેવો જોઈએ. આ તમારા મન પર કાબૂ મેળવવા માટે પણ એક અસરકારક રીત છે કે જ્યારે તમારા મનપસંદ ખોરાકની વાત આવે ત્યારે તમે તમારી જાત અને મનને નિયંત્રણમાં રાખો છો. જો તમને ખબર હોય કે તમને ભોજન ઉપરાંત ખૂબ નાસ્તો કરવાની પણ આદત છે, તો બીજી એક વસ્તુ જે તમે કરી શકો છો કે માત્ર સ્વસ્થ આરોગ્યને માફક આવે તે પ્રકારના નાસ્તાને જ ડબ્બામાં મૂકો. સ્વાસ્થ્યને ફાયદારુપ ખોરાક લેવાથી શરીર તંદુરસ્ત અને મન પ્રફુલ્લિત રહે છે. જેના કારણે સાત્વિક ભોજન લેવાની પ્રેરણા પણ મળે છે.
બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ઘણી વાર ભૂખ અને તરસ ખૂબ જ જલ્દી અને સરળતાથી અનુભવાય છે. નાસ્તાની થેલી લેતા પહેલાં તમારી જાતને પડકાર આપો, તેના બદલે થોડું પાણી પીવો. બીજી એક વસ્તુ જે તમે કરી શકો છો તે છે તમારા મનને વિચલિત કરવાનો પ્રયાસ કરો. પૂછો, શું તમને ભૂખ લાગી છે કે તમે ફક્ત તણાવ અને કંટાળો અનુભવો છો? આવા સંકેતો વિશે વિચારીને, તમને ત્યાંથી ધ્યાન હટાવવાનું અને તમારા માનસિક સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી લેવાનું ખૂબ સરળ લાગશે.
વધુ પડતી ખાંડનું સેવન કરવું..
અન્ય ખૂબ જ ખરાબ આદત છે વધુ પડતી ખાંડનો વપરાશ કરવો. આ ખતરનાક છે કારણ કે વધુ પડતી ખાંડ લેવાથી તમે કિડની રોગ, લીવર રોગ અને કેન્સર થવાનું જોખમ વધારી રહ્યા છો. રિસર્ચ દર્શાવે છે કે જો તમે વધુ પડતી ખાંડ ખાઓ છો, તો આ તમારા માનસિક સ્વાસ્થ્યકાર્યને પણ તે અસર કરી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન ભલામણ કરે છે કે તમે દરરોજ 9 ચમચીથી વધુ ખાંડ ન ખાઓ જ્યારે એક વ્યક્તિ સરેરાશ 17 ચમચી ખાય છે. જેટલું બને તેટલું ખાંડના વપરાશ પર કાપ રાખીએ તે શ્રેષ્ઠ છે. આપણને કેટલીકવાર ખબર રહેતી નથી કે જે-તે ખાદ્યપદાર્થમાં ખાંડનું વધતુ-ઓછું પ્રમાણ રહેતું હોય છે. ઓછી ખાંડ ધરાવતા વિકલ્પો ચોક્કસપણે વધુ સારા રહે છે.
ધુમ્રપાન
સૌથી વધુ ખરાબ ટેવ ધૂમ્રપાન છે. ધૂમ્રપાન સીધી રીતે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. ધૂમ્રપાનનો કોઈ વૈકલ્પિક ઉપાય નથી, તેને તો તમારે શક્ય તેટલી વહેલી તકે છોડવું જ અતિ આવશ્યક છે.
ઊંઘ ન આવવી
ઊંઘ ન આવવી એ એક ગંભીર બાબત છે. પૂરતી ઊંઘ ન લેવી એ સ્થૂળતા અને ટાઇપ 2 ડાયાબિટીસ સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલ છે. તમે હાઈ બ્લડ પ્રેશર જેવી બાબતોના જોખમમાં પણ મુકાઈ શકો છો. જ્યારે વાસ્તવમાં, આ બધું ટાળી શકાય છે. દરરોજ રાત્રે 8 કલાક ઊંઘ લેવાનો પ્રયાસ કરવા માટે પગલાં લેવા. ઓછી ઊંઘ તમારાં જ્ઞાનાત્મક વિચારો અને સર્જનાત્મક શક્તિઓનો વિકાસ અટકાવે છે.
ક્યારેક દિવસના સમયે ઊંઘ લેવી ઠીક છે, જેને આપણે પાવર નેપ કહીએ છીએ. પરંતુ જો રાતના સમયે ઊંઘ ન આવે તો તે ચિંતાજનક વાત છે. આ સમયે થોડું ચાલવાનું રાખવું અને જો તેની કંઈ અસર ન થાય તો જાણકાર ડોક્ટરની સલાહ લઈ દવા શરુ કરવી. આ ઉપરાંત રાતના સમયે ભારે ખોરાકને બદલે હળવો, સહેલાઈથી પચી જાય તેવો ખોરાક લેવાનું રાખવું. કૅફિન પદાર્થો રાતના સમયે બિલકુલ ન લેવા. આ પ્રકારે તમને મોડી રાત સુધી જાગવાની આદત ઓછી થશે. આ માર્ગદર્શિકાનું પાલન કરી તમે તમારા સ્વાસ્થ્ય સુધારી શકો છો અને લાંબુ ને સુખી જીવન જીવી શકો છો. જો તમને એ ચિંતા સતાવતી હોય કે ખરાબ આદતોને છોડી શકાશે નહી તો ગભરાયા વિના એક્સપર્ટ ડોક્ટરની સલાહ લો.
Disclaimer: અહીં આપેલી દરેક બાબતો સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અમલમાં મૂકતાં પહેલાં તબીબી સલાહ જરુર લેવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે