Home> Health
Advertisement
Prev
Next

Stale Roti: શરીરને એક નહીં અનેક ફાયદા કરે છે વાસી રોટલી, ફાયદા જાણી લેજો તો રોજ ખાવા લાગશો વાસી રોટલી

Stale Roti Benefits: વાસી રોટલી ખાવાથી શરીરને ફાયદા થાય છે. ખાસ કરીને જો તમે સવાર માટે પૌષ્ટિક નાસ્તાનો વિકલ્પ શોધી રહ્યા છો તો વાસી રોટલી એક સારો વિકલ્પ છે. તો ચાલો તમને જણાવીએ કે વાસી રોટલી ખાવાથી કેટલા ફાયદા થાય છે.

Stale Roti: શરીરને એક નહીં અનેક ફાયદા કરે છે વાસી રોટલી, ફાયદા જાણી લેજો તો રોજ ખાવા લાગશો વાસી રોટલી

Stale Roti Benefits: ઘણીવાર એવું બને છે કે રસોઈ વધુ બની જાય છે. રાત્રે બનેલી રોટલી કે અન્ય રસોઈને સવારે વાસી ગણવામાં આવે છે. સામાન્ય રીતે આવું રોટલીમાં જ થાય છે કે રોટલી જમ્યા પછી વધી જતી હોય છે. ઘણા લોકોના ઘરમાં વાસી રોટલીને ખાવામાં આવે છે તો ઘણા લોકો તેને ફેંકી દેતા હોય છે. પરંતુ આજે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તેને જાણીને તમે વાસી રોટલી ક્યારેય ફેંકશો નહીં.

fallbacks

વાસી રોટલી ખાવાથી શરીરને ફાયદા થાય છે. ખાસ કરીને જો તમે સવાર માટે પૌષ્ટિક નાસ્તાનો વિકલ્પ શોધી રહ્યા છો તો વાસી રોટલી એક સારો વિકલ્પ છે. તો ચાલો તમને જણાવીએ કે વાસી રોટલી ખાવાથી કેટલા ફાયદા થાય છે.

આ પણ વાંચો:  કાચા કરતાં બાફેલું આમળું વધારે લાભકારી, ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ સહિતની આ સમસ્યા મટશે

સુગર લેવલ રહે છે કંટ્રોલમાં

તાજી રોટલીની સરખામણીમાં વાસી રોટલી સુગલ લેવલને કંટ્રોલ કરવામાં વધારે અસરકારક છે. ઠંડા ખોરાકને ફરીથી ગરમ કરવાની પ્રક્રિયા કાર્બોહાઈડ્રેટની સંરચનાને બદલી દે છે. તેનો અર્થ થાય છે કે લોહીમાં ગ્લુકોઝ ધીરેધીરે જાય છે. જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 
 
પાચન સુધરે છે

જ્યારે રોટલી વાસી થઈ જાય છે, ત્યારે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ પણ તૂટવાનું શરૂ થઈ જાય છે. જે તેના પાચનને સરળ બનાવે છે. જેમની પાચન શક્તિ નબળી છે તેમના માટે વાસી રોટલી ખૂબ જ સારો વિકલ્પ છે. વાસી રોટલીમાં ગ્લુટેન પણ ઓછું હોય છે. 

આ પણ વાંચો: ગરમ પાણી પીવાથી શરીરને થાય છે ગંભીર સમસ્યાઓ, તમે પણ આ ભુલ કરતાં હોય તો સુધારી લેજો

પેટમાં વધે છે ગુડ બેક્ટેરિયા 

વાસી રોટલી પેટમાં પ્રીબાયોટિક્સ નામના ગુડ બેક્ટેરિયાને વધારે છે.  આ બેક્ટેરિયા ન માત્ર પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.  

પોષક તત્વોથી ભરપૂર

વાસી રોટલી પોષક તત્વોથી ભરપૂર હોય છે.  વાસી રોટલીમાંથી વિટામિન બી, આયર્ન અને ફાઈબર જેવા મહત્વના તત્વો મળે છે. જો તમે નાસ્તામાં વાસી રોટલી ખાઓ છો તો તે તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો: રોજ સવારે કરો આ એક કામ, થોડા જ દિવસોમાં વર્ષોથી પહેરેલા નંબરવાળા ચશ્માથી મુક્તિ મળશે

ખોરાકનો બગાડ અટકે છે

વાસી રોટલી ખાવાના બે સૌથી મોટા ફાયદા એ છે કે તે રોટલીને બગાડતા થતા અટકાવે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેથી વાસી રોટલી ખાવી લાભકારી રહે છે. 

નાસ્તાનો સારો વિકલ્પ

વાસી રોટલીમાંથી તમે અલગ અલગ વસ્તુઓ બનાવી નાસ્તામાં ઉપયોગમાં લઈ શકો છો. વાસી રોટલીમાં તમે વિવિધ શાકભાજી અને મસાલા ઉમેરી સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકો છો. આ રોટલીને તમે મધ અને દૂધ સાથે પણ ખાઈ શકો છો. 

આ પણ વાંચો: વજન વધારવું હોય કે ઘટાડવું હોય, બંનેમાં મદદ કરશે ઘી, જાણો કેવી રીતે કરવો ઉપયોગ?

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More