Liver Damage Symptoms: લીવર શરીરનું સૌથી મહત્વનું અંગ છે. લિવર શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે તે આખા શરીરને અસર કરે છે. કારણ કે લીવર પાચન અને મેટાબોલિજ્મને બૂસ્ટ કરવામાં પણ મદદરૂપ હોય છે. જ્યારે લીવરમાં કોઈ સમસ્યા હોય છે, ત્યારે શરીરમાં કેટલાક સંકેતો દેખાય છે. ઘણીવાર લોકો આ સંકેતોને અવગણે છે. ચાલો જાણીએ કે લીવર ડેમેજ થવાના લક્ષણો શું દેખાય છે.
વારંવાર પરસેવો આવવો
ઉનાળામાં પરસેવો થવો સામાન્ય વાત છે, પરંતુ જો હવામાન ઠંડું હોય ત્યારે પણ રાત્રે સૂતી વખતે તમને અચાનક ખૂબ પરસેવો થાય તો તે લીવર ડેમેજનો સંકેત હોઈ શકે છે.
20000 કરોડની દોલત... જયપુરની આ પ્રિસેન્સના ગ્લેમરની આગળ ભૂલી જશો અંબાણી વહુઓનો અંદાજ
પેટમાં ભારેપણું
જો તમને રાત્રે પેટની જમણી બાજુ ભારેપણું અથવા દુખાવો થાય છે, તો તે લીવરને નુકસાન થવાનો સંકેત હોઈ શકે છે. જો લીવર યોગ્ય રીતે કામ કરી શકતું નથી તો પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે ગેસ, એસિડિટી અને પેટમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓ.
બેચેની અને નર્વસનેસ
જો રાત્રે નર્વસનેસ, બેચેની અથવા ચિંતા હોય તો તે લીવર ડેમેજની નિશાની હોઈ શકે છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરી શકતું નથી, ત્યારે રાત્રે સૂતી વખતે બેચેની અને ગભરાટ થઈ શકે છે.
ઈંગ્લેન્ડ સિરીઝમાં ડ્રોપ થશે રોહિત-વિરાટ? આ દિગ્ગજ ખેલાડીએ કર્યો મોટો ઈશારો
ઊંઘમાંથી જાગી જવું
રાત્રે ઊંઘમાં વારંવાર ઊંઘમાંથી જાગી જવું એ લીવર ખરાબ થવાની નિશાની હોઈ શકે છે. જ્યારે લીવર યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે શરીરમાં ટોક્સિન્સ વધી જાય છે, જેના કારણે ઊંઘ સંબંધિત સમસ્યાઓ થાય છે. જો તમને લાંબા સમય સુધી રાત્રે ઊંઘમાં વિક્ષેપની સમસ્યા હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
થાક લાગવો
કોઈપણ કામ કર્યા વગર રાત્રે થાક લાગવો એ લીવર ડેમેજ થવાની નિશાની હોઈ શકે છે. શરીરમાં ટોક્સિન્સ જમા થવાથી થાક અને નબળાઈ આવી શકે છે.
રાત્રે ખંજવાળ આવવી
રાતના સમયે સ્કિન પર વધુ પડતી ખંજવાળ આવવી એ લીવર ડેમેજની નિશાની હોઈ શકે છે. જ્યારે લીવર ડેમેજ થાય છે, ત્યારે શરીરમાં પિત્તનું સ્તર વધી જાય છે, જેના કારણે ત્વચા પર ખંજવાળની સમસ્યા થઈ શકે છે. આ સંકેતોને અવગણશો નહીં, તરત જ ડોક્ટરની સલાહ લો.
માનસિક રીતે નબળા બનાવે છે તમારી આ ખરાબ આદતો, આજે જ બદલો નહીંતર કરવો પડશે પછતાવો!
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે