નવી દિલ્હી : 2001ની 13 ડિસેમ્બરનો દિવસ ભારત (India)ના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયો છે. આ દિવસે ભારતના લોકતંત્રના પ્રતીક સમી સંસદ (Parliament) પર મોટો આતંકી (Terror) હુમલો થયો હતો. સંસદ ભવનની ગણતરી દેશની સૌથી સુરક્ષિત ઇમારતમાં થાય છે. આ ઇમારત પર હુમલો કરીને આતંકીઓ લોકતંત્રના ચહેરા પર લપડાક મારી હતી. 13 ડિસેમ્બર, 2001ના દિવસે ભારતીય સંસદ પર પાંચ આતંકીઓએ હુમલો કરી દીધો હતો.
નિર્ભયા કેસ: દોષીઓને જલદી ફાંસી આપવાની માંગવાળી અરજી પર હવે આ તારીખે થશે સુનાવણી
આ હુમલા વખતે સંસદમાં દેશના તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી (Advani) સહિત 100થી વધારે સાંસદ અને મંત્રી હાજર હતા. આ હુમલા વખતે Zee News તરફથી સુધીર ચૌધરી કેમેરાની સાથે સંસદ ભવનમાં હાજર હતા. તેમણે રિપોર્ટિંગ વખતે શહીદ થતા જવાનોને પણ જોયા હતા. આ હુમલામાં શામેલ તમામ પાંચ આતંકીઓને મારી નખાયા હતા. જોકે આ અથડામણમાં દિલ્હી પોલીસના પાંચ જવાન, સંસદના 2 સુરક્ષાકર્મી, CRPFની એક મહિલા કોન્સ્ટેબલ તેમજ માળી પણ શહીદ થઈ ગયા હતા.
રેપ ઇન ઇન્ડિયા અંગેના નિવેદન અંગે શું રાહુલ ગાંધીએ લોકસભામાં માફી માંગવી જોઇએ? તમે શું માનો છો? જણાવો તમારૂ મંતવ્ય
— Zee 24 Kalak (@Zee24Kalak) December 13, 2019
CAB સામે પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળની બગાવત, કાયદો રાજ્યમાં લાગુ ન કરવાની મુખ્યમંત્રીઓની જાહેરાત
મળતી માહિતી પ્રમાણે આતંકવાદી સંસદની અંદર જ સાંસદોને બંધક બનાવવા આવ્યા હતા. જોકે 9 લોકોની શહિદીએ આતંકીઓના પ્લાનને નિષ્ફળ બનાવી દીધો હતો.
દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે