Home> India
Advertisement
Prev
Next

J&K: સુરક્ષાદળો કાળ બનીને તૂટી પડ્યા આતંકીઓ પર, શોપિયામાં 3 આતંકીનો ખાતમો

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં શનિવારે એક અજાણ્યો આતંકી માર્યો ગયો. સતત ચાલી રહેલા ઓપરેશન બાદ વધુ બે આતંકીઓ ઠાર થયા. પોલીસે પણ ત્રણ આતંકીઓના ખાતમાની પુષ્ટિ કરી છે. અત્રે જણાવવાનું કે આ બધા વચ્ચે અનંતનાગ જિલ્લામાં પણ આતંકીઓની હાજરીની ખબર મળતા અથડામણ ચાલુ થઈ. 

J&K: સુરક્ષાદળો કાળ બનીને તૂટી પડ્યા આતંકીઓ પર, શોપિયામાં 3 આતંકીનો ખાતમો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં શનિવારે એક અજાણ્યો આતંકી માર્યો ગયો. સતત ચાલી રહેલા ઓપરેશન બાદ વધુ બે આતંકીઓ ઠાર થયા. પોલીસે પણ ત્રણ આતંકીઓના ખાતમાની પુષ્ટિ કરી છે. અત્રે જણાવવાનું કે આ બધા વચ્ચે અનંતનાગ જિલ્લામાં પણ આતંકીઓની હાજરીની ખબર મળતા અથડામણ ચાલુ થઈ. 

fallbacks

સ્શાનિક પોલીસના જણાવ્યાં મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયા સ્થિત હાદીપુરામાં આતંકીઓની હાજરીની સૂચના મળતા સુરક્ષાદળોએ ઘેરબંધી કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓ તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. 

નવા આતંકીઓના સરન્ડર પર ફોકસ-IGP
કાશ્મીરના આઈજીપીએ કહ્યું કે પોલીસ અને સુરક્ષાદળો હાલમાં જ આતંકી સંગઠનમાં ભરતી થયેલા યુવાઓના સરન્ડર પર ભાર મૂકી રહ્યા છે. આતંકીના રસ્તે નીકળી પડેલા આ યુવાઓના પરિજનો પણ પોતાના બાળકોને સરન્ડરની અપીલ કરી રહ્યા છે. પરંતુ જૂના આતંકી તેમને આમ કરતા રોકી રહ્યા છે. 

અનંતનાગમાં પણ અથડામણ
તેમણે જણાવ્યું કે આતંકીઓની ઓળખ કરવાની કોશિશ થઈ રહી છે. તેમના સંગઠનની પણ માહિતી મેળવવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું કે આ બધા વચ્ચે અનંતનાગ જિલ્લામાં પણ અથડામણ શરૂ થઈ ગઈ. તેમણે જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના આ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં સેમથાનમાં આતંકીઓની હાજરીની ગુપ્ત બાતમી મળી અને ત્યારબાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવ્યું. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આ અંગે જો કે હજુ વિસ્તૃત માહિતી આવી નથી. 

Video: રસી લીધા પછી પણ જો કોરોના થાય તો રસીનો ફાયદો શું? જવાબ ખાસ જાણો

CRPF જવાનને તાબડતોબ છોડવો પડ્યો...કારણ કે 'આ' ડરના કારણે નક્સલીઓના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા

Corona: કોરોનાની નાગચૂડમાંથી થશે છૂટકારો!, આજથી દેશમાં 'રસી મહોત્સવ'

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More