Home> India
Advertisement
Prev
Next

અમિત શાહનો હુમલો- કાશ્મીરમાં લોકશાહી 70 વર્ષથી પરિવારવાદની પકડમાં હતી


અબ્દુલ્લા અને મુફ્તી પરિવારનું નામ લીધા વિના શાહે પરિવારવાદ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, 'હું એ કહેવા માંગતો નથી કે દેશને 70 વર્ષમાં શું મળ્યું. પરંતુ બીજા 70 વર્ષમાં કાશ્મીરને 6 સાંસદો અને ત્રણ પરિવારો મળ્યા.

અમિત શાહનો હુમલો- કાશ્મીરમાં લોકશાહી 70 વર્ષથી પરિવારવાદની પકડમાં હતી

શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ત્રણ દિવસીય પ્રવાસ પર જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. આર્ટિકલ 370 હટ્યા બાદ પ્રથમવાર અહીં પહોંચેલા ગૃહમંત્રીએ 5 ઓગસ્ટ 2019ના નિર્ણયના ફાયદા ગણાવ્યા અને કહ્યુ કે, તેને સુવર્ણ અક્ષરમાં લખવામાં આવશે. શાહે કહ્યુ કે, ત્યારબાદ કાશ્મીરમાં આતંકવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારનો ખાતમો થયો અને નવી શરૂઆત થઈ છે. 

fallbacks

અમિત શાહે કહ્યુ, 'જમ્મુ-કાશ્મીરની શાંતિમાં ખલલ નાખવા ઈચ્છે છે, તેનો અમે મજબૂતીથી સામનો કરીશું. આ જે વિકાસની યાત્રાની શરૂઆત થઈ છે તેમાં કોઈ વિઘ્ન ન નાખી શકે. આ અમારી પ્રતિબદ્ધતા છે. આતંકવાદથી જ્યાં 40 હજાર લોકોના જીવ ગયા છે, જેમાં સૈનિક, સામાન્ય નાગરિક અને આતંકવાદી સામેલ છે. ગુંડાગીરી અને વિકાસ એક સાથે થઈ શકે છે શું? ક્યારેય નહીં. વિકાસની પ્રથમ શરત શાંતિ છે. કોણ તેને કાઢી શકે છે. સરકાર કાઢી શકે છે શું? ના ભાઈ ના. સરકાર પ્રયાસ કરી શકે છે, ગુંડાગીરી કાઝવાનું કામ યુથ ક્લબના 45 હજાર યુવાઓએ આ કરવાનું છે. તમારે શાંતિ દૂત બનીને યુવાનોને સમજાવવાનું છે કે આ રસ્તો યોગ્ય નથી.'

પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દર્શાવનારને જવાબ આપતા અમિત શાહે કહ્યુ- પાકિસ્તાનની વાત કરનારને હું ઘણા જવાબ આપી શકુ છું. પરંતુ આજે તે નહીં કરુ. હું તો યુવાનો સાથે વાત કરવા આવ્યો છું. હું તમને પૂછુ છું કે પાસમાં જ પીઓકે છે, આપણે તો હજુ જમ્મુ-કાશ્મીરના વિકાસથી સંતોષ નથી, પરંતુ એકવાર પીઓકે સાથે તુલના કરી લેવી, શું મળ્યું? ગરીબી, અંધારા અને ધુમાડા સિવાય શું મળ્યું? આજે પણ લાકડીઓ સળગાવી ભોજન બનાવવામાં આવે છે. 

આ દરમિયાન શાહે કહ્યું, 'કાશ્મીરમાં શાંતિની શરૂઆત થઈ છે. અહીંના યુવાનો આજે વિકાસની વાતો કરી રહ્યા છે. હવે પથ્થરબાજો અહીંથી અદ્રશ્ય થઈ ગયા છે. J&Kમાં 5મી ઓગસ્ટ 2019 પછી પારદર્શિતા આવી છે. હવે લોકોને રોજગાર અને શિક્ષણ મળી રહ્યું છે. પરિવર્તનના આ પવનને કોઈ રોકી શકતું નથી. આવા કાર્યક્રમો જરૂરી છે. કાશ્મીરની 70 ટકા વસ્તી યુવાનોની છે. જો આ વસ્તીને વિકાસના કામમાં સામેલ કરવામાં આવે તો કાશ્મીરની શાંતિને કોઈ ખલેલ પહોંચાડી શકે નહીં.

આ પણ વાંચોઃ UP ચૂંટણી પહેલા રામલલાની શરણમાં કેજરીવાલ, 26 ઓક્ટોબરે જશે અયોધ્યા

અબ્દુલ્લા અને મુફ્તી પરિવારનું નામ લીધા વિના શાહે પરિવારવાદ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, 'હું એ કહેવા માંગતો નથી કે દેશને 70 વર્ષમાં શું મળ્યું. પરંતુ બીજા 70 વર્ષમાં કાશ્મીરને 6 સાંસદો અને ત્રણ પરિવારો મળ્યા. મારા પરિવારમાં કોઈ રાજકારણમાં નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More