નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે આર્ટિકલ 35એ હટાવ્યાં બાદ સરકાર તરફથી સુરક્ષા મુદ્દે એક મોટું પગલું લેવાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ અને દેશના અન્ય ભાગોમાંથી 8000 અર્ધસૈનિક દળોના જવાનોને વિમાનો દ્વારા જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં સુરક્ષાદળોની તહેનાતી સતત થઈ રહી છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે ગૃહ મંત્રાલયે પહેલા જ 10000 વધારાના સૈનિકોની તહેનાતી કરી છે. સોમવારે જમ્મુના 8 જિલ્લાઓમાં 40,000 સીઆરપીએફ જવાનોને તહેનાત કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે