Home> India
Advertisement
Prev
Next

34 વર્ષ બાદ બદલાઈ ભારતની શિક્ષણ નીતિ, સ્કૂલ-કોલેજની વ્યવસ્થામાં કરાયા મોટા ફેરફાર

 કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતા કહ્યું કે 34 વર્ષ પછી ભારતની નવી શિક્ષણ નીતિ આવી છે. શાળા-કોલેજ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

34 વર્ષ બાદ બદલાઈ ભારતની શિક્ષણ નીતિ, સ્કૂલ-કોલેજની વ્યવસ્થામાં કરાયા મોટા ફેરફાર

હિતેન વિઠલાણી, નવી દિલ્હી:  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતા કહ્યું કે 34 વર્ષ પછી ભારતની નવી શિક્ષણ નીતિ આવી છે. શાળા-કોલેજ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

fallbacks

મોદી સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી. બુધવારે કેબિનેટની બેઠકમાં તેનો નિર્ણય લેવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે 34 વર્ષ પછી ભારતની નવી શિક્ષણ નીતિ આવી છે. જેમાં શાળા-કોલેજ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

હવે ફક્ત 12મા ધોરણમાં હશે બોર્ડ, MPhil થશે બંધ, કોલેજની ડિગ્રી 4 વર્ષની

પ્રકાશ જાવડેકરે કહ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. 34 વર્ષથી શિક્ષણ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે શિક્ષણ નીતિ અંગે 2 સમિતિઓની રચના કરી હતી. એક ટી.એસ.આર. સુબ્રમણ્યમ સમિતિ અને બીજી ડૉ. કે. કસ્તુરીરંગન સમિતિની રચના કરાઈ હતી.

તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ માટે મોટા પાયે સલાહ લેવામાં આવી હતી. 2.5 લાખ ગ્રામ પંચાયતો, 6600 બ્લોક્સ, 676 જિલ્લાઓની સલાહ લેવામાં આવી હતી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત, જો કોઈ વિદ્યાર્થી કોઈ અભ્યાસક્રમની મધ્યમાં બીજો અભ્યાસક્રમ લેવાની ઇચ્છા રાખે છે, તો તે પહેલા કોર્સથી મર્યાદિત સમય માટે વિરામ લઈ શકે છે. ઉચ્ચ શિક્ષણમાં, અમે 2035 સુધીમાં કુલ નોંધણી રેશિયોમાં 50 ટકા સુધી પહોંચીશું. આ માટે, મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ્સ રજૂ કરવામાં આવી રહી છે. 

મોદી સરકારે જાહેર કરી 21મી સદીની નવી શિક્ષણ નીતિ, MHRD નું નામ બદલ્યું

સરકારે જણાવ્યું કે આજ ની વ્યવસ્થા માં 4 વર્ષ એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યા બાદ કે પછી 6 સેમિસ્ટર નો અભ્યાસ કર્યા બાદ અગર કોઈ છાત્ર આગળ નથી અભ્યાસ કરી શકતો તો તેની પાસે કોઈ ઉપાય નથી રહેતો. વિદ્યાર્થી સિસ્ટમથી બહાર થઈ જાય છે. પણ નવી સિસ્ટમમાં એવું બનશે કે એક વર્ષ પછી સર્ટિફિકેટ, ડિપ્લોમા બે વર્ષ પછી, ડિગ્રી ત્રણ કે ચાર વર્ષ પછી મળશે. 

સરકારે કહ્યું કે મલ્ટીપલ એન્ટ્રી થ્રૂ બેંક ઓફ ક્રેડિટ અંતર્ગત વિદ્યાર્થીના પ્રથમ, બીજા વર્ષના ક્રેડિટ ડિજિલોકર દ્વારા જમા કરવામાં આવશે. જેથી જો વિદ્યાર્થીને કોઈ કારણસર વિરામ લેવો પડ્યો હોય અને નિયત સમયની અંદર પાછો આવે, તો તેને પ્રથમ અને બીજા વર્ષનું પુનરાવર્તન કરવાનું કહેવામાં આવશે નહીં. વિદ્યાર્થીની ક્રેડિટ શૈક્ષણિક ક્રેડિટ બેંકમાં હાજર રહેશે. આ કિસ્સામાં, વિદ્યાર્થી તેનો ઉપયોગ તેના આગળના અભ્યાસ માટે કરશે.

આર્થિક અથવા અન્ય કારણોસર જેઓ છોડી દે છે તેઓ સિસ્ટમમાં પાછા આવી શકે છે. આ સિવાય જે લોકોને જુદા જુદા વિષયોમાં રુચિ હોય છે, જેમ કે સંગીતમાં રસ હોય છે, પરંતુ તે માટેની કોઈ વ્યવસ્થા નથી. નવી શિક્ષણ નીતિમાં, આ સિસ્ટમ મુખ્ય અને નાની વ્યવસ્થા દ્વારા રહેશે. 

માનવ સંસાધન મંત્રાલય ફરીથી શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાશે. અગાઉ આ મંત્રાલયનું નામ શિક્ષણ મંત્રાલય હતું. 1985 માં, તેને બદલીને માનવ સંસાધન મંત્રાલય બનાવવામાં આવ્યું.

નવી શિક્ષણ નીતિ હેઠળ શાળાના શિક્ષણમાં 10 + 2 ફોર્મેટ રદ કરવામાં આવ્યું છે. તેને 10 + 2 થી હવે 5 + 3 + 3 + 4 ફોર્મેટમાં બદલવામાં આવ્યું છે. આનો અર્થ એ કે હવે શાળાના પ્રથમ પાંચ વર્ષમાં પૂર્વ-પ્રાથમિક શાળાના ત્રણ વર્ષ અને વર્ગ 1 અને વર્ગ 2 સહિતના પાયાના તબક્કાનો સમાવેશ થશે. ત્યારબાદ આગામી ત્રણ વર્ષ વર્ગ 3 થી 5 ના તૈયારીના તબક્કામાં વહેંચવામાં આવશે. આ પછી, ત્રણ વર્ષ મધ્યમ તબક્કા (6 થી 8 ના વર્ગ) અને ગૌણ તબક્કાના ચાર વર્ષ (9 થી 12 વર્ગ) હશે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More