આ ત્રાસદી બાદ સોશિયલ મીડિયા પર એવી અનેક ભવિષ્યવાણીઓ વાયરલ થઈ રહી છે જેમાં એક નામ ગોપાલ શાસ્ત્રી વ્યાસનું પણ છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ જ્યોતિષાચાર્યએ 31મી મેના રોજ ફેસબુક પર એક એવી પોસ્ટ કરી હતી જેમાં ભવિષ્યવાણી કરી હતી અને જે સાચી સાબિત થતી જોવા મળી છે. આ જ્યોતિષાચાર્યને લોકો હવે ભારતના બાબા વેંગા તરીકે પણ ઓળખવા લાગ્યા છે. જાણો તેમની કઈ ભવિષ્યવાણી સાચી પડી?
ગોપાલ શાસ્ત્રી વ્યાસ રાજસ્થાનના જયપુરના છે અને તેમના ફેસબુક પેજ પર 13,000થી વધુ ફોલોઅર્સ છે. તેઓ પોતાના સહયોગી ગૌરવ પુરોહિત સાથે મળીને જ્યોતિષાચાર્ય વિશ્લેષણ શેર કરે છે. હાલમાં તેમની 31 મે 2025ની પોસ્ટ ખુબ ચર્ચામાં રહી.
આ પોસ્ટની સત્યતા કેટલી?
31 મેની પોસ્ટ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે. કેટલાક લોકો તેને સટીક ભવિષ્યવાણી માને છે જ્યારે કેટલાક લોકો તેને સંયોગ કે સંશોધનનું પરિણામ માને છે. મિન્ટ હિન્દીના રિપોર્ટ મુજબ આ પોસ્ટમાં 'Edited' લેબલ નથી, અને ફેસબુક પર એડિટ કરાયેલી પોસ્ટમાં આ લેબલ જોવા મળે છે.
ગોપાલ શાસ્ત્રી ઉપરાંત અન્ય એક યૂઝરે પણ બે દિવસ પહેલા આવી જ એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે એક બે દિવસમાં કોઈ મોટો પ્લેન અકસ્માત થવાનો છે.
निचे दिए गये लिंक मे इस व्यक्ति की पुरी जानकारी दी हुई है। इसकै संबध किसी आतंकी संगठन से हो सकते है जिस तरह से इसने दो दिन पहले फेसबुक पर पोस्ट किया है। निचे की लिंक मे पुरी जानकारी है।
Modassir Mohammed.https://t.co/mFTTGNAgEQ pic.twitter.com/AcE6z5XBYl
— Cyber Huntss (@Cyber_Huntss) June 12, 2025
અત્રે જણાવવાનું કે અમદાવાદમાં થયેલા આ ભયાનક પ્લેન અકસ્માતમાં બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત નિપજ્યા અને એક મુસાફર બચી ગયો. જ્યારે વિમાન ડોક્ટરોની હોસ્ટેલ પર પડતા મૃત્યુઆંક હાલ 275 પર પહોંચ્યો છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે