12મી જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ થયાની ગણતરીની સેકન્ડોમાં ક્રેશ થઈ ગયું. આ વિમાન અકસ્માતમાં 270 લોકોના મોત થયા. જેમાં 241 પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ સામેલ હતા. આ અકસમાતમાં એક માત્ર વિશ્વાસ રમેશ નામના પેસેન્જરનો બચાવ થયો હતો. અને આ પેસેન્જર પ્લેનની લકી સીટ નંબર 11એ પર બેઠો હતો.
આ અગાઉ 1998માં થયેલા થાઈ એરવેઝના પ્લેન અકસ્માતમાં પણ ફક્ત એક પેસેન્જર બચ્યો હતો અને તે પણ પ્લેનની આ સીટ 11A પર બેઠો હતો. અકસ્મતા બાદ આ પેસેન્જરની ઓળખ અભિનેતા અને ગાયક રૂઆંગસાક લોયચુસાક તરીકે થઈ હતી. હવે સવાલ એ છે કે શું 11A નંબરની આ લકી સીટ પર કોઈ પણ પેસેન્જર બેસી શકે છે? તો જવાબ છે- ના. 11A નંબરની સીટ પર તમારી ગમે તેટલી ઈચ્છા હોય તો પણ બેસી શકશો નહીં. કારણ કે આ સીટ પર બેસવા માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે.
દરેક વ્યક્તિ કેમ 11A સીટ પર બેસી ન શકે?
વાત જાણે એમ છે કે બોઈંગ 787- ડ્રીમલાઈનર પ્લેનમાં સીટ નંબર 11A ઈકોનોમી સીટની સાથે સાથે એક ઈમરજન્સી સીટ પણ છે. આ સીટ પ્લેનની ઈમરજન્સી એક્ઝિટ ગેટની પાસે હોય છે અને તેના પર બેસનારા પેસેન્જર્સને વિશેષ જવાબદારી મળતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સીટ્સ પર દરેક વ્યક્તિ બેસી શકતા નથી. ઈમરજન્સી સીટ્સ અંગે શું નિયમ છે અને કયા પેસેન્જર્સને તેના પર બેસવાની મંજૂરી મળે છે ખાસ જાણો.
ઈમરજન્સી એક્ઝિટ સીટ્સનો મુખ્ય હેતુ ઈમરજન્સી સ્થિતિમાં પેસેન્જર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. જો કોઈ કારણસર પ્લેનને જલદી ખાલી કરાવવું પડે તો આ સીટ્સ પર બેઠેલા પેસેન્જર ક્રુ મેમ્બર્સની મદદ કરે છે. તેના માટે એરલાઈન્સે કેટલાક કડક નિયમો અપનાવેલા છે. જેથી કરીને એવા લોકો જ ત્યાં બેસી શકે જે શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોય. જરૂર પડ્યે ક્રુ મેમ્બર્સની મદદ કરી શકે.
શું છે ઈમરજન્સી સીટ માટેના નિયમો?
સૌથી પહેલો નિયમ એ છે કે મુસાફરની ઉંમર 15 વર્ષથી વધુ હોવી જોઈએ. બાળકો કે નાની ઉંમરના કિશોરો માટે આ સીટ પર બેસવાની મંજૂરી હોતી નથી. કારણ કે તેમનામાં ઈમરજન્સી સ્થિતિમાં કોઈ નિર્ણય લઈ શકવાની ક્ષમતા ઓછી હોઈ શકે છે. આ ઉપરાંત પેસેન્જર માટે શારીરિક રીતે ફીટ હોવું ખુબ જરૂરી છે. જો કોઈ મુસાફર વિકલાંગ હોય, ગર્ભવતી હોય, કે પછી તેને હરવા ફરવામાં મુશ્કેલી આવતી હોય તો તેવા મુસાફરોને આ સીટ મળતી નથી.
આવું એટલા માટે કારણ કે ઈમરજન્સીમાં ભારે દરવાજો ખોલવા કે અન્ય પેસેન્જર્સની મદદ કરવાની જરૂર પડતી હોય છે. આ સાથે એરલાઈન એ પણ સુનિશ્ચિત કરે છે કે મુસાફરને તે પ્લેનના ઈમરજન્સી એક્વિપ્મેન્ટની પાયાની જાણકારી હોય. ફ્લાઈટ એટેન્ડેન્ટ પેસેન્જર્સને પ્રી ફ્લાઈટ બ્રિફિંગમાં જણાવે છે કે ઈમરજન્સી એક્ઝિટ કેવી રીતે ઓપરેટ કરવાનું હોય છે. જો મુસાફરને એવું લાગે કે આ જવાબદારી તે નિભાવી નહીં શકે તો તે ક્રુ મેમ્બરને જણાવી શકે છે. તેને બીજી સીટ આપવામાં આવશે.
શું ભાષાની જાણકારી પણ છે એક શરત?
ઈમરજન્સી સીટ મેળવવા માટે ભાષાની જાણકારી પણ એક મહત્વપૂર્ણ શરત છે. આ સીટ પર બેસનારા વ્યક્તિને ક્રુની ભાષા, સામાન્ય રીતે અંગ્રેજી કે તે દેશની સ્થાનિક ભાષા આવડતી હોવી જોઈએ. કારણ કે ઈમરજન્સી સ્થિતિમાં ક્રુના નિર્દેશોને સમજવા અને તરત તેનો અમલ કરવો જરૂરી હોય છે. આ ઉપરાંત મુસાફર માનસિક રીતે સ્થિર હોવો જોઈએ. જો કોઈ મુસાફર નશામાં હોય કે માનસિક રીતે અસ્થિર હોય તો તેને આ સીટ્સ પર બેસવાની મંજૂરી મળતી નથી.
અનેકવાર મુસાફર ઈમરજન્સી સીટ્સને વધુ લેગરૂમ માટે પસંદ કરે છે કારણ કે આ સીટ્સ પર સામાન્ય રીતે વધુ જગ્યા મળતી હોય છે. જો કે એરલાઈન એ સ્પષ્ટ કરે છે કે આ સીટ પર બેસવાનું એ કોઈ સુવિધાજનક નહીં પરંતુ જવાબદારીપૂર્ણ કામ છે. કેટલીક એરલાઈન આ માટે વધારાનો ચાર્જ પણ કરે છે પરંતુ આ ચાર્જ ફક્ત એવા પેસેન્જર્સ પાસેથી લેવાય છે જે નિયમો પર ખરા ઉતરતા હોય.
શું ભારતમાં ઈમરજન્સી સીટ માટે કોઈ નિયમ છે?
અત્રે જણાવવાનું કે ઈન્ડિંગો, એર ઈન્ડિયા, અને સ્પાઈસજેટ જેવી તમામ ભારતીય એરલાઈન્સ પણ આ નિયમોનું કડકાઈથી પાલન કરે છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના દિશાનિર્દેશો મુજબ ક્રુ મેમ્બર્સે એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે ઈમરજન્સી સીટ પર બેઠેલા મુસાફરો નિયમો મુજબ હોય. જો કોઈ મુસાફર નિયમ તોડે કે જવાબદારી નિભાવે નહીં તો તેને બીજી સીટ પર શિફ્ટ કરી શકાય છે.
ઈમરજન્સી સીટ્સની જવાબદારી જરાય હળવાશમાં લઈ શકાય તેમ નથી. આ સીટ્સ ફક્ત આરામ માટે નથી પરંતુ તમામ પેસેન્જર્સની સુરક્ષા માટે પણ છે. આથી હવે જો તમે ફ્લાઈટમાં આ ઈમરજન્સી સીટની પસંદગી કરો તો યાદ રાખજો કે આ એક મોટી જવાબદારી છે. જો તમે તને નિભાવવા માટે તૈયાર હોવ તો જ આ સીટની પસંદગી કરજો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે