Home> India
Advertisement
Prev
Next

Corona Vaccine લગાવ્યા પછી PM Modi એ નર્સ સાથે કરી વાત, કહ્યું- વેક્સીન લગાવી દીધી, ખબર ન પડી

કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) ના ત્રીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સીન લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે સવારે દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) માં કોરોના વાયરસની વેક્સીન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લગાવ્યો. પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીન લગાવી છે અને હવે તેમને 28 દિવસ પછી આગામી ડોઝ આપવામાં આવશે. 

Corona Vaccine લગાવ્યા પછી PM Modi એ નર્સ સાથે કરી વાત, કહ્યું- વેક્સીન લગાવી દીધી, ખબર ન પડી

નવી દિલ્હી: કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) ના ત્રીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સીન લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે સવારે દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) માં કોરોના વાયરસની વેક્સીન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લગાવ્યો. પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીન લગાવી છે અને હવે તેમને 28 દિવસ પછી આગામી ડોઝ આપવામાં આવશે. 

fallbacks

પુડુચેરીની નર્સએ પીએમને લગાવી વેક્સીન
પીએમ મોદી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) કામ કરનાર પુડુચેરીની નર્સ પી નિવેદા (Sister P Niveda) એ વેક્સીનનો ડોઝ આપ્યો. પીએમ મોદીએ રસી લગાવતો પોતાનો ફોટો શેર કર્યો, જેમાં તે અસમિયા ગમછો પહેરેલા જોવા મળી રહ્યા છે અને હસતાં હસતાં રસી લગાવી રહ્યા છે. તેમની સાથે આ ફોટામાં સિસ્ટર નિવેદા ઉપરાંત કેરલની રહેવાસી એક અન્ય નર્સ રોસમ્મા અનિલ પણ જોવા મળી રહી છે. 

PM Modi એ લીધી Covaxin, વેક્સીનેશન પર સવાલ ઉઠાવનારની કરી બોલતી બંધ

રસી લગાવ્યા બાદ પીએમ મોદી સાથે શું થઇ વાત
પીએમ મોદીને રસી લગાવ્યા બાદ નર્સ નિવેદાએ પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે ડીડી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે 'મારું નામ નિવેદા છે. હું પુડુચેરીથી છું. એમ્સમાં ત્રણ વર્ષથી કામ કરી રહી છું. આજે સવારે ખબર પડી કે પીએમ સર વેક્સીનેશન માટે આવી રહ્યા છે. સરને વેક્સીન લગાવવા માટે મને બોલાવવામાં આવી. અહીં આવીને ખબર પડી કે સર આવી ગયા છે. તેમને જોઇને સારું લાગ્યું. સરને ભારત બાયોટેકની વેક્સીન આપવામાં આવી છે. 28 દિવસ બાદ બીજો ડોઝ લગાવવામાં આવશે. નર્સ નિવેદાએ જણાવ્યું કે 'આ દરમિયાન સર (પ્રધાનમંત્રી) સાથે વાત થઇ. સરે મને પૂછ્યું કે તમે ક્યાંથી છો. રસી લગાવ્યા પછી કહ્યું કે વેક્સીન લગાવી પણ દીધી, ખબર પણ ન પડી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More