Home> India
Advertisement
Prev
Next

Air Pollution થી દર વર્ષે 70 લાખ લોકો મૃત્યુ પામે છે! જાણો બચાવ માટે WHO એ શું કહ્યું

Air Pollution: એ રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણનો રોજ સામનો કરવો એટલો ખતરનાખ છે કે આ એક સામાન્ય જીવનને 9 વર્ષ પહેલા પૂર્ણ કરી દે છે.

Air Pollution થી દર વર્ષે 70 લાખ લોકો મૃત્યુ પામે છે! જાણો બચાવ માટે WHO એ શું કહ્યું

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઓક્ટોબર સુધીમાં દેશની રાજધાનીમાં એક મોટી સમસ્યા આવી જશે. અચાનક લોકો ગૂંગળામણ અનુભવશે, દિલ્હી ગેસ ચેમ્બર બનવા લાગશે અને અચાનક બધાને પર્યાવરણ યાદ આવવા લાગશે. તેમ છતાં, આ એક મુદ્દો છે જેના પર આપણે અત્યાર સુધી ગંભીર ધ્યાન આપતા નથી. એક અંદાજ મુજબ દર વર્ષે 70 લાખ લોકો વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી મૃત્યુ પામે છે. એક અહેવાલ સૂચવે છે કે વાયુ પ્રદૂષણનો દૈનિક સંપર્ક એટલો ખતરનાક છે કે તે 9 વર્ષ પહેલા સામાન્ય જીવનનો અંત લાવી શકે છે.

fallbacks

15 વર્ષ પછી આવ્યો બદલાવ:
હવે આ બાબતોને ધ્યાનમાં રાખીને, WHO એ ગ્લોબલ AQI નું અપડેટ વર્ઝન એટલે કે ગ્લોબલ એર ક્વોલિટી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. ખાસ વાત એ છે કે AQI માં આ અપડેશન પણ 15 વર્ષ પછી આવ્યું છે. આમાં શું બદલાયું છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા જીવન સાથે સંબંધિત બાબત છે.

આ છે નવી ગાઈડલાઈન્સ:
WHO એ બનાવેલી નવી ગાઈડલાઈન્સ અનુસાર પ્રદૂષ કેટલી હદે હોઈ શકે તે નક્કી કરવામાં આવ્યું છે.  તેમાં પીએમ 2.5, પીએમ 10, ઓઝોન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનો સમાવેશ થાય છે. આ પાંચ વાયુ હવાને પ્રદૂષિત કરે છે. PM 10 અને 2.5 વાયુ એટલા નાના છે કે તેઓ સરળતાથી વ્યક્તિના ફેફસામાં પહોંચી શકે છે અને લોહી સાથે આંતરિક અવયવોમાં ભળીને બિમારી ફેલાવી શકે છે.

2021 ની માર્ગદર્શિકા જણાવે છે કે હવામાં PM 10 ની વાર્ષિક સરેરાશ 15 માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક (ઘન) મીટરથી વધુ ન હોવી જોઈએ. આ સાથે, 24 કલાકમાં આ સરેરાશ 45 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ ન હોવી જોઈએ. અગાઉ તેની મર્યાદા પ્રતિ વર્ષે 20 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની હતી અને એક દિવસમાં 50 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતી.

24 કલાકમાં સરેરાશ ઓઝોનનું સ્તર 100 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધારે ન હોવું જોઇએ, જ્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ 25 ઘન મીટર દીઠ 25 માઇક્રોગ્રામથી વધારે ન હોવું જોઇએ. સલ્ફર ડાયોક્સાઇડ પણ 40 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી ઓછો હોવો જોઈએ. કાર્બન મોનોક્સાઇડનું સ્તર 4 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી ઓછું હોવું જરૂરી છે.

ભારતના ઘણા શહેરોમાં PM 2.5 નું સ્તર 2005 માં કરાયેલી ભલામણ કરતા ઘણું વધારે છે. આમાં ગાઝિયાબાદનો પણ સમાવેશ થાય છે, ત્યાં 2019 માં PM 2.5 ની વાર્ષિક સરેરાશ 110 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ હતી. નોઇડા અને ગુડગાંવ પણ આટલા જ પ્રદૂષણની ઝપેટમાં છે. અહીં એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર તે જે પણ યોજનાઓ બનાવે છે તે તેમનું કામ છે, પરંતુ આપણા પર્યાવરણને જીવંત રાખવાની જવાબદારી આપણી પોતાની છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More