Home> India
Advertisement
Prev
Next

અવંતીપુરા એટેક: રાજનાથ કાલે જમ્મુ-કાશ્મીર જશે, જેટલીએ કહ્યું સહ્ય નહી

સીઆરપીએફનાં આ કાફલામાં 2500થી વધારે જવાનો હતા, એટલું નહી ગુપ્તચર એજન્સીઓનાં એલર્ટને નજર અંદાજ કરવામાં આવ્યો

અવંતીપુરા એટેક: રાજનાથ કાલે જમ્મુ-કાશ્મીર જશે, જેટલીએ કહ્યું સહ્ય નહી

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરનાંપુલવામાં જિલ્લામાં શ્રીનગર- જમ્મુ રાજમાર્ગ પર ગુરૂવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા એક આત્મઘાતી હૂમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસદળ (સીઆરપીએફ)નાં 20 જવાન શહીદ થઇ ગયા હતા. પોલીસે કહ્યું કે, આતંકવાદીઓએ શ્રીનગરથી આશરે 30 કિલોમીટર દુર લેથપોરા વિસ્તારમાં અપરાન્હ આશરે સવા ત્રણ વાગ્યે સીઆરપીએફ બસને નિશાન બનાવીને  આઇઇડી વિસ્ફોટ કર્યો હતો. 

fallbacks

CRPFનો કાફલામાં હંમેશા 1000થી ઓછા જવાનો હોય છે, આ વખતે 2500 કેમ ?

ગૃહમંત્રી રાજનાથસિંહ કાલે જમ્મુ- કાશ્મીર જશે. તેમણે કાલે પટનામાં યોજાનારી રેલી રદ્દ કરી દીધી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર  અજિત ડોભાલ હૂમલા બાદ ઇમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે 2019નો સૌથી મોટો આતંકવાદી હૂમલા બાદ  ઇમરજન્સી બેઠક બોલાવી છે. તેને 2019નો સૌથી મોટો આતંકવાદી હૂમલો હોવાનું જણાવાઇ રહ્યું છે. ડોભાલે વડાપ્રધાન મોદીને હૂમલાની માહિતી આપી હતી.  કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ હૂમલાની નિંદા કરતા કહ્યું કે, આતંકવાદીઓને આકરો જવાબ આપવામાં આવશે. 

fallbacks

અગાઉ પોલીસનાં એક અધિકારીએ કહ્યું કે, હૂમલામાં 30 સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયા અને અનેક ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને શ્રીનગરનાં સેનાનાં બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે,  રાજમાર્ગ પર એક ચાલતી કારની અંદર આઇઇડી લગાવવામાં આવ્યો હતો. જ્યારે કાર સીઆરપીએપની બસની નજીક પહોંચી ગયા તો તેમાં વિસ્ફોટ કરી દેવામાં આવ્યો. આ બસ જમ્મુથી શ્રીનગર તરફ જઇ રહેલ સીઆરપીએફ કાફલાોન હિસ્સો હતી.

પુલવામાં હૂમલાના બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય: વડાપ્રધાન મોદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More