Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા 2025 આ વર્ષે 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી યોજાશે, જેમાં પહેલીવાર વધારાની સુરક્ષા સાથે 38 દિવસના ઘટાડા સમયગાળામાં યોજાશે. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, શ્રી અમરનાથ યાત્રા 2025 દરમિયાન વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની કુલ 581 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. ANIએ જણાવ્યું છે કે, "3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી યોજાનારી આ યાત્રા હવે પહેલીવાર 38 દિવસના ઘટાડા સમયગાળામાં યોજાશે."
પહેલી વાર શ્રી અમરનાથ યાત્રાના કાફલાની સુરક્ષા માટે જામર લગાવવામાં આવશે, જેની સુરક્ષા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સ (CAPF) દ્વારા કરવામાં આવશે. કાફલાના પસાર થવા દરમિયાન મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યાત્રાના માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો તરફ જતા તમામ રસ્તાઓ અસ્થાયી રૂપે બ્લોક કરવામાં આવશે.
અસ્ત થઈને ભાગ્યોદય કરશે ગુરુ, કરિયરમાં મળશે ઇચ્છિત સફળતા; થશે ધનના ઢગલા!
સુરક્ષા કવચમાં વધારો
આ પગલાં ઉપરાંત વ્યાપક તૈનાતીમાં માર્ગોને સુરક્ષિત અને સાફ કરવા માટે રોડ ઓપનિંગ પાર્ટીઓ (ROP), ખતરા પર તાત્કાલિક પ્રતિભાવ આપવા માટે ક્વિક એક્શન ટીમો (QAT), વિસ્ફોટકો શોધવા અને નિષ્ક્રિય કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), K9 યુનિટ (ખાસ તાલીમ પામેલા સ્નિફર ડોગ્સ) અને હવાઈ દેખરેખ માટે ડ્રોનનો સમાવેશ થશે. આ વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફા મંદિર તરફ જવા માટે પહેલગામ અને બાલતાલ બન્ને માર્ગો પર લાગુ થશે.
માત્ર એકવાર ભરો રૂપિયા અને એક વર્ષ માટે Toll Taxનું ટેન્શન ખતમ! FasTag પર આવી રહ્યો છે નવો નિમય
લગાવવામાં આવશે જામર
પ્રથમ વખત શ્રી અમરનાથ યાત્રાના કાફલાની સુરક્ષા માટે જામર લગાવવામાં આવશે, જેની સુરક્ષા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) દ્વારા કરવામાં આવશે. કાફલાના પસાર થવા દરમિયાન મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યાત્રાના માર્ગો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો તરફ જતા તમામ રસ્તાઓ અસ્થાયી રૂપે બ્લોક કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે