Home> India
Advertisement
Prev
Next

Astrology: તમારી હથેળી પર છે 'H' નું નિશાન? આ રહસ્ય જાણીને તમને થશે આશ્ચર્ય

માણસનું ભવિષ્ય તેના હાથની રેખાઓમાં છુપાયેલું છે. કેટલાક લોકોને આ વસ્તુ માત્ર મજાક લાગશે, પરંતુ હસ્તરેખા શાસ્ત્રમાં આ હથેળીના નિશાનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મુજબ, હથેળી પરની રેખાઓ ખરેખર તમારું ભવિષ્ય કહી શકે છે

Astrology: તમારી હથેળી પર છે 'H' નું નિશાન? આ રહસ્ય જાણીને તમને થશે આશ્ચર્ય

નવી દિલ્હી: માણસનું ભવિષ્ય તેના હાથની રેખાઓમાં છુપાયેલું છે. કેટલાક લોકોને આ વસ્તુ માત્ર મજાક લાગશે, પરંતુ હસ્તરેખા શાસ્ત્રમાં આ હથેળીના નિશાનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મુજબ, હથેળી પરની રેખાઓ ખરેખર તમારું ભવિષ્ય કહી શકે છે. એટલા માટે આજે અમે તમારી લાઇન્સમાં છુપાયેલા એવા રહસ્યો વિશે જણાવીશું જે જાણીને તમને આશ્ચર્ય થશે.

fallbacks

'H' ના નિશાનનો શું છે અર્થ?
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, હથેળી જોઈને વ્યક્તિના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે કહેવાની કળાને કીરોમેન્સી કહેવામાં આવે છે. તમે એ પણ જોયું હશે કે આપણી હથેળીઓ પર ઘણી રેખાઓ ખૂબ જ આડેધડ રીતે બનેલી હોય છે. આમાં, દરેક રેખા અને વળાંક ચોક્કસપણે કેટલાક અર્થ ધરાવે છે. જો તમારા હાથની રેખાઓ 'H' નો આકાર બનાવી રહી છે, તો 40 વર્ષની ઉંમર પછી તેમના જીવનમાં કેટલાક સફળ ફેરફારો જોવા મળે છે.

આ પણ વાંચો:- ડેલ્ટા કરતા પણ વધુ જીવલેણ હશે કોરોનાનો આ વેરિએન્ટ? વૈજ્ઞાનિકોને ડરાવી રહ્યો છે COVID-22 નો ડર

40 વર્ષની ઉંમર પછી મળે છે મહેનતનું ફળ
એવું માનવામાં આવે છે કે 'H' નિશાન ધરાવતા લોકોનું જીવન 40 વર્ષની ઉંમર પછી યુ-ટર્ન લે છે. આ લોકો અચાનક જીવનમાં પૈસા અથવા વધુ સારી આર્થિક સ્થિતિ જુએ છે. જ્યારે 40 વર્ષની ઉંમર પહેલા આ લોકોને તેમની મહેનતનું ફળ મળતું નથી, જેની તેઓ અપેક્ષા રાખે છે. આવા લોકો 40 વર્ષની ઉંમર પહેલા પોતાની જરૂરિયાતો પૂરી કરવા સંઘર્ષ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, 40 વર્ષ પૂર્ણ કર્યા પછી તેમને તેમની મહેનતનું ફળ મળે છે.

આ પણ વાંચો:- Facebook Live કરી મહિલાએ દેખાડ્યો મોતનો ભયાનક નજારો, પૂરમાં ડબી જતા મહિલાનું મોત

કેવો હોય છે 'H' નિશાન વાળા લોકોનો વ્યવહાર
ત્યારે વ્યવહારને લઇને વાત કરવામાં આવે તો જે લોકોના હાથ પર 'H' હોય છે, તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે. આ કારણોસર તેઓ ઘણીવાર લોકોને મદદ કરવા માટે તેમના માર્ગથી હટી જાય છે. એટલું જ નહીં તેમના ઉદાર સ્વભાવને કારણે આવા લોકો અન્ય લોકોથી છેતરાઈ પણ જાય છે. તેમને તેમના જીવનના દરેક પગલા પર મુશ્કેલીઓ અને વિરોધનો સામનો કરવો પડે છે. આવા લોકો હંમેશા તેમના શુભેચ્છકોને મદદ કરવા તત્પર રહે છે. પરંતુ હકારાત્મક રીતેથી તેઓ શ્રીમંત છે અને તે જ તેમને ખાસ બનાવે છે.

(નોંધ:- આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More