Baba Vanga on Pakistan: શ્રીનગરમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. આના કારણે પાકિસ્તાનની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને પાકિસ્તાન તે ભયથી સતત ધ્રૂજી રહ્યું છે. 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાકિસ્તાન વિરુદ્ધ ભારતની કાર્યવાહીથી સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારત પાકિસ્તાનનો સર્વનાશ કરી દેશે? આ દરમિયાન બલ્ગેરિયાના પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ચર્ચામાં આવી ગઈ છે.
પાકિસ્તાનને લઈને શું કહ્યું બાબા વેંગાએ?
બાબા વેંગા તેમની સચોટ આગાહીઓ માટે જાણીતા છે. તેમણે બીજા વિશ્વયુદ્ધથી લઈને અમેરિકા પર 9/11ના હુમલા અને ઈન્દિરા ગાંધીના મૃત્યુ સુધીની આગાહીઓ કરી હતી, જે બધી સાચી સાબિત થઈ. મૃત્યું પહેલા બાબા વેંગાએ ભારત-પાકિસ્તાન યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ઇસ્લામિક દેશનો વિનાશ નિશ્ચિત છે. એવામાં તેમની આગાહીને હવે ભારત-પાકિસ્તાન તણાવ અને તેમના પરિણામે થયેલા યુદ્ધ સાથે જોડવામાં આવી રહી છે.
મુસ્લિમ દેશોના વિનાશને પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહ્યો છે...
22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. જ્યારે, બાબા વેંગાની ઇસ્લામિક દેશોના વિનાશ અંગેની ભવિષ્યવાણીની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. એવામાં મુસ્લિમ દેશના વિનાશની વાતને પાકિસ્તાનના વિનાશ સાથે જોડવામાં આવી રહી છે.
બાબા વેંગાની કઈ કઈ ભવિષ્યવાણી પડી સાચી?
હવે ચાલો જાણી લઈએ કે બાબા વેંગાની કઈ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તેમણે ઇન્દિરા ગાંધીના મોતની આગાહી કરી હતી, જે સાચી પડી. બાબા વેંગાએ ઘણી કુદરતી આફતોની આગાહી કરી હતી, જે સાચી પડી. વેંગાએ 2025ની ગરમી વિશે આગાહી કરી હતી કે આકાશમાંથી આગનો વરસાદ થશે અને તે પણ સાચું સાબિત થઈ રહ્યું છે. એવામાં પાકિસ્તાન અંગેની તેમની આગાહી પણ સાચી સાબિત થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે