Home> India
Advertisement
Prev
Next

2029માં પૂરુ થશે બાગેશ્વર ધામ સરકારનું સૌથી મોટું સપનું, દક્ષિણામાં મળેલા રૂપિયાથી કરી રહ્યાં છે મોટું કામ

Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામ સરકારે ટીકમગઢમાં કથા દરમિયાન જણાવ્યું કે બાલાજીની કૃપાથી 2029માં કેન્સર હોસ્પિટલ બનીને તૈયાર થશે. બાગેશ્વર ધામ બુદેંલખંડ માટે એક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરાવી રહ્યાં છે. આ હોસ્પિટલ દાન-દક્ષિણામાં મળેલા પૈસાથી બની રહી છે. 

2029માં પૂરુ થશે બાગેશ્વર ધામ સરકારનું સૌથી મોટું સપનું, દક્ષિણામાં મળેલા રૂપિયાથી કરી રહ્યાં છે મોટું કામ

ટીકમગઢઃ બાગેશ્વર ધામ સરકારી કથા આ દિવસોમાં ટીકમગઢમાં થઈ રહી છે. બાબાની કથામાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચી રહ્યાં છે. બુધવારે બાગેશ્વર બાબાએ કથા દરમિયાન મોટી જાહેરાત કરી છે. બાબાએ કહ્યું કે બુદેંલખંડની આસપાસ કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ હોસ્પિટલનું નિર્માણ દેશ-વિદેશમાં ફલાયેલા બાગેશ્વર ધામ બાલાજીના સેવાદારોના તુલસી પત્ર (દાન-દક્ષિણા) થી કરવામાં આવશે. બાગેશ્વર ધામ સરકારે જણાવ્યું કે આ કેન્સર હોસ્પિટલ 2029માં બનીને તૈયાર થઈ જશે. બાગેશ્વર બાબાએ હસી-મજાક કરતા કહ્યું કે, અત્યારે મની રામ અને ધની રામ બંને છેતરી રહ્યાં છે. 

fallbacks

બાગેશ્વર ધામ સરકારે લોકોને કહ્યું કે હું ઈચ્છું છું કે તમે પ્રાર્થના કરો કે મારું સપનું જલ્દી પૂરું થાય. બાગેશ્વર ધામ સરકારે કહ્યું કે આ કામ અમારા માટે નથી. આ કામ સમગ્ર બુંદેલખંડના લોકો માટે છે. લોકોને કેન્સર હોય તો બહાર જવાની જરૂર નથી. લોકોને ઓછા ખર્ચે કેન્સરની દવા મળશે.

આ પણ વાંચોઃ 'મોદી તેરા કમલ ખિલેગા'... જ્યાં PM Modiએ જીતની કરી હતી ભવિષ્યવાણી ત્યાં.....

મંદિરમાં બનશે હોસ્પિટલ
બાગેશ્વર ધામ સરકારે હોસ્પિટલ વિશે જાણકારી આપતા જણાવ્યું કે તમે ઘણીવાર જોયું કે સાંભળ્યું હશે કે હોસ્પિટલમાં મંદિર છે. પરંતુ બાગેશ્વર ધામ સરકારની કૃપાથી પ્રથમવાર મંદિરમાં હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ હોસ્પિટલનું નિર્માણ સેવાદારો પાસેથી મળેલી દાન-દક્ષિણામાંથી કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે હું કોઈ રાજનેતા નથી કે તેને ભેટ નહીં પરંતુ આ ગૌરવની વાત છે. 

મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે શ્રદ્ધાળુ
ટીકમગઢમાં ચાલી રહેલી કથામાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચી રહ્યાં છે. જાણકારી અનુસાર અહીં ત્રીસ હજાર લોકોને બેસવા માટે પંડાલ બનાવવામાં આવ્યા છે. પરંતુ ભક્તોની સંખ્યા લાખોમાં પહોંચી રહી છે. બાગેશ્વર ધામ સરકારે અહીં દિવ્ય દરબારનું આયોજન પણ કર્યું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. બાબાએ લોકોના મનની વાત વાંચતા ચીઠ્ઠી લખી અને સમસ્યાનું સમાધાન જણાવ્યું હતું. 

આ પણ વાંચોઃ ત્રિપુરા અને નાગાલેન્ડમાં બમ્પર જીત પણ આજની હાર ચોક્કસપણે ભાજપને કરશે પરેશાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More