Home> India
Advertisement
Prev
Next

કમાવવા ગયેલા લોકો કફનમાં આવ્યા... નર્મદા ઘાટ પર પહેલીવાર 18 મૃતદેહોના એકસાથે અગ્નિસંસ્કાર કરાયા

Banaskantha Firecracker Factory Blast : ડીસા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ મધ્યપ્રદેશના હતભાગીઓના કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર... એકસાથે 18 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા... મૃતકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન થયું...અગ્નિકાંડમાં હોમાયેલા પોતાના સ્વજનોને જોઈને પરિવારોનું હૈયાફાટ રુદન
 

કમાવવા ગયેલા લોકો કફનમાં આવ્યા... નર્મદા ઘાટ પર પહેલીવાર 18 મૃતદેહોના એકસાથે અગ્નિસંસ્કાર કરાયા

Banaskantha Fire : ગુજરાતના બનાસકાંઠામાં અકસ્માતમાં દેવાસ અને હરદાના 18 મજૂરોના મોત બાદ નેમાવરના નર્મદા ઘાટ પર એકસાથે 18 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશ સરકારના નિર્દેશો પર, મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક રકમ આપવામાં આવી છે.

fallbacks

ગુજરાતના બનાસકાંઠામાં ફટાકડાના કારખાનામાં થયેલા બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા 18 લોકોના મૃતદેહોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દેવાસ જિલ્લાના નેમાવર ઘાટ ખાતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

1 એપ્રિલ મંગળવારના રોજ સવારે 8 વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં 201 લોકોના મોત થયા હતા. જેમાંથી 8 લોકો હરદાના અને 10 દેવાસ જિલ્લાના હતા. તેમાં 5 થી 8 વર્ષની વયના બાળકો પણ સામેલ છે. ડીએનએ ટેસ્ટ દ્વારા બેની ઓળખ કરવામાં આવશે. મૃતકોમાં માતા અને તેના ત્રણ પુત્રોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં કાકા-ભત્રીજાની જોડી પણ ખોવાઈ ગઈ હતી.

અકસ્માતમાં જીવ ગુમાવનારા દેવાસના 10 મજૂરોના મૃતદેહ સૌથી પહેલા તેમના વતન ગામ સંદલપુર પહોંચ્યા હતા. અંતિમ દર્શન કર્યા બાદ તેમને નેમાવર ઘાટ પર લાવવામાં આવ્યા હતા. તે જ સમયે, હરદાના હાંડિયાના 8 લોકોના મૃતદેહ ગુજરાતમાંથી સીધા નેમાવર ઘાટ પર લાવવામાં આવ્યા હતા. સ્થળ પર સ્થાનિક પ્રશાસન અને પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે. સ્થાનિક લોકોની આંખો ભીની છે.

બનાસકાંઠામાં મૃતકોના અંતિમ સંસ્કાર થયા બાદ ઝી મીડિયાની ટીમે પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. તેઓએ કહ્યું કે મધ્યપ્રદેશ સરકારે પણ સરકારી યોજનાઓ હેઠળ પીડિત પરિવારોને મદદ કરવાની જાહેરાત કરી છે. આજે નર્મદા ઘાટ પર તમામ નેતાઓના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મીડિયા સાથે ચર્ચા કરતા લોકોએ જણાવ્યું કે, નર્મદા ઘાટ પર એકસાથે આટલા લોકોને વિદાય આપવાનો કિસ્સો પહેલીવાર જોવા મળ્યો છે.

આરોપી ભાજપનો નેતા નીકળ્યો
ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડમાં આરોપી દિપક મોહનાણી ભાજપનો પૂર્વ ડીસા શહેર યુવા મોરચાનો મંત્રી નીકળ્યો. આરોપી દિપકનું ભાજપના હોદા સાથેનું પોસ્ટર વાયરલ થયું. ડીસામાં અગાઉ નીકળેલ રથયાત્રાના પોસ્ટરમાં ભાજપ યુવા મોરચાના હોદેદારોમાં દીપકનો નામ અને હોદા સાથેનો ફોટો છે.

તો બીજી તરફ, ડીસામાં ફટાકડા બનાવતી ફેકટરીમાં આગ લાગવાની ઘટનામાં તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા વિગતો સામે આવી છે. ફટાકડા ગોડાઉનના માલીક ખૂબચંદે એક લાઇસન્સ ઉપર 1100 કિલો  ફટાકડા રાખવા માટે એક લાઇસન્સ પોતાના નામે અને 2 લાઇસન્સ પોતાના દીકરા દીપકના નામે  લીધા હતા. જે લાઇસન્સનો પરવાનો 31 ડિસેમ્બર 2024ના પૂરો થઈ ગયો હોવા છતાં પણ ગેરકાયદેસર ફટાકડા રાખ્યા હતા. બ્લાસ્ટ અને આગની ઘટના બની ત્યારે ફેકટરીમાં 30 હજાર કિલોથી પણ વધુ દારૂગોળો પડ્યો હતો. 

ફેક્ટરીની 2200 ચોરસ મીટર જગ્યામાં બે બિલ્ડીંગો અને મજૂરોને રહેવા માટે ઓરડીઓ બનાવાઈ હતી જેમાં ગોડાઉનો વચ્ચે 600 મીટરનું અંતર હોવું જોઈએ તે રખાયું ન હતું અને લગોલગ ગોડાઉન હતા. દિપક ટ્રેડર્સ રાજકોટના વેપારી પાસેથી ફટાકડા ખરીદતો હતો પરંતુ ફટાકડા મોંઘા કરી દેતા આરોપીએ મજૂરો રાખી પોટાશ દ્વારા ફટાકડા બનાવવાની ફેકટરી જાતે જ ઉભી કરી દીધી હતી.

મધ્યપ્રદેશની હરદાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા તે ફેકટરી બંધ થઈ ગયા બાદ જે કારીગરો બચી ગયા હતા તેમને 400થી 500 રૂપિયા મજૂરી આપવાનું નક્કી કરી ડીસા લવાયા હતા. હરદાની ફેકટરીમાં થયેલ બ્લાસ્ટ સમયે બચી ગયેલા મજૂરોને આખરે ડીસાની ફેક્ટરીમાં મોત મળ્યું હતું. 

ડીસાની ફેકટરીમાં 4TNT મેગાટન કરતા વધુની તિવ્રતાનો બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે. વધુ અવાજ થાય એ માટે પાંચ પ્લાયનો બોમ્બ બનાવાતો હતો. 12 વર્ષ પહેલા જુના ડીસાની આ જગ્યા ખરીદી હતી અને ગોડાઉન માટે શરૂ કર્યું હતું. પોલીસે ફેક્ટરી માલિક પિતા-પુત્રની ધરપકડ બાદ તાત્કાલિક મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. 

ડીસા રૂરલ પોલીસ સ્ટેશને BNS કલમ 105, 110, 125(એ) (બી), 326(જી), 54 તથા એક્સપ્લોઝીવ એક્ટ 1884 ની કલમ 9(બી), 12 અને એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ 1908ની કલમ 3(બી), 4, 5, 6 મુજબ ગુનો દાખલ થયો છે. પાંચ સભ્યોની સીટની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. FSL ટીમ અને કેમિકલ એક્સપર્ટની મદદથી વૈજ્ઞાનિક રીતે તપાસ ચાલી રહી છે.

આરોપીઓના મોબાઇલ CDR, બેન્ક એકાઉન્ટ અને દસ્તાવેજોની તપાસથી અન્ય સંડોવાયેલા ઇસમોની માહિતી એકત્ર કરાઇ રહી છે. આરોપીઓના ગોડાઉનમાં મળેલા એલ્યુમિનિયમ પાવડર અને યલો ડોક્સટ્રીન પાવડર ક્યાંથી લાવ્યા અને શું હેતુ હતો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More