Amit Shah Meeting with CMs: પહેલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જેમાં સેંકડો પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. આ પછી સરકારે વધુ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન અને નેપાળની સરહદે આવેલા 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને પોલીસ વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
કયા રાજ્યો સાથે બેઠક યોજાઈ હતી?
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને ડીજીપીએ સામેલ થયા હતા. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' પછી થઈ હતી, જેમાં ભારતીય સેનાએ સરહદ પાર નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.
Chaired a meeting with the Chief Ministers and Lieutenant Governors of border states adjoining Pakistan and Nepal. All the Chief Ministers and Lieutenant Governors congratulated PM Shri @narendramodi Ji and our armed forces for giving a befitting reply to the perpetrators of the… pic.twitter.com/zrDne4UJz0
— Amit Shah (@AmitShah) May 7, 2025
ઓપરેશન સિંદૂરથી દહેશતમાં પાકિસ્તાન... માડી રાત્રે શાહબાઝ શરીફનું સંબોધન
હુમલા વિશે શું કહ્યું?
બેઠક દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ હુમલાઓમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના તાલીમ શિબિરો, શસ્ત્ર ડેપો અને ઠેકાણા સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું કે, આ કાર્યવાહી મોદી સરકારની આતંકવાદ પ્રત્યે 'ઝીરો ટોલરન્સ પોલિસી'નું ઉદાહરણ છે અને આ હુમલો ભારતની સરહદો, સેના અને નાગરિકોને પડકારનારાઓને યોગ્ય જવાબ છે. 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું વચન પૂર્ણ થયું છે.
'ઓપરેશન સિંદૂર'માં થયો એડવાન્સ મિસાઈલનો ઉપયોગ, જાણો બાલાકોટ એરસ્ટ્રાઈકથી કેટલી અલગ?
આવશ્યક સેવાઓ પૂરી પાડવાનો આદેશ
શાહે રાજ્યોને સતર્ક રહેવા અને હોસ્પિટલો, ફાયર બ્રિગેડ અને આવશ્યક ચીજવસ્તુઓ જેવી આવશ્યક સેવાઓના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન આવે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ્સ, NCC વગેરેને એલર્ટ પર રાખવા.
સંયોગ નથી, સૈન્ય સોચ! રાતે કેમ કર્યું ઓપરેશન સિંદૂર? કારણ જાણીને થઈ જશો હકાબકા
ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ફેલાતા 'રાષ્ટ્ર વિરોધી પ્રચાર' પર નજર રાખવા અને અફવાઓ ફેલાતી અટકાવવા જાગૃતિ અભિયાન ચલાવવાની વાત કરી. તેમણે કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્ર, સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે સંકલન વધારવું જોઈએ અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા મજબૂત બનાવવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે