Bharat Bandh July 9: એક ડઝનથી વધુ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ કિસાન અને ગ્રામીણ મજૂર સંગઠનની સાથે મળી બુધવાર, 9 જુલાઈએ દેશવ્યાપી હડતાળ (ભારત બંધ) ની જાહેરાત કરી છે. આ ભારત બંધનો ઈરાદો કેન્દ્ર સરકારની કોર્પોરેટ સમર્થક અને મજૂર વિરોધી નીતિઓનો વિરોધ કરવાનો છે.
આ મોટા વિરોધ પ્રદર્શનમાં જાહેર પરિવહન, નાણાકીય અને ઔદ્યોગિક ક્ષેત્રોના સામેલ થવાથી સામાન્ય જનજીવન પર અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા લોકો તે વિચારી રહ્યાં છે કે શું સ્કૂલ, કોલેજ અને ઓફિસો ખુલી રહેશે, કે તેણે પરિવહન જામ અને રોડ પ્રદર્શનોને કારણે બંધ કરવું પડશે કે કામકાજમાં ફેરફાર કરવો પડશે?
9 જુલાઈના રોજ ભારત બંધ: શું શાળાઓ અને કોલેજો બંધ રહેશે?
હાલમાં, 9 જુલાઈના રોજ શાળાઓ, કોલેજો અને ખાનગી કચેરીઓ બંધ રાખવા અંગે કોઈ સત્તાવાર સૂચના નથી. જોકે, પરોક્ષ રીતે વિક્ષેપો આવી શકે છે. સંપૂર્ણ બંધ ન હોવા છતાં, ઘણા શહેરોમાં રસ્તાઓ પર અવરોધ અને સ્થાનિક વિરોધને કારણે પરિવહનમાં વિલંબ થઈ શકે છે અથવા અવરજવરમાં ઘટાડો થઈ શકે છે. એપ-આધારિત કેબ સેવાઓ, સરકારી બસો અને ઓટો-રિક્ષા મર્યાદિત સંખ્યામાં કાર્યરત થઈ શકે છે, ખાસ કરીને મોટા શહેરો અને ઔદ્યોગિક નગરોમાં જ્યાં યુનિયનોનો વધુ પ્રભાવ છે.
શૈક્ષણિક સંસ્થાઓ કે વાણિજ્યિક સંસ્થાઓ માટે સત્તાવાળાઓએ કોઈ ઔપચારિક બંધની સૂચના જારી કરી નથી. વાલીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓએ સ્થાનિક માહિતીની રાહ જોવી જોઈએ જે તેમની સંબંધિત સંસ્થાઓ (પછી તે શૈક્ષણિક હોય કે ઓફિસ/ઉદ્યોગ) દ્વારા શેર કરવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ FD-SIP ભૂલી જશો! હવે દરેક ઘર બનશે 'લખપતિ', ઈન્વેસ્ટમેન્ટ માટે આ છે જાદુઈ પ્લાન
9 જુલાઈએ ભારત બંધઃ કઈ સેવા પ્રભાવિત થઈ શકે છે?
આ હડતાળની પાછળ જાહેર અને ઈન્ડસ્ટ્રિયલ સેવાઓ પર વધુ અસર જોવા મળી શકે છે. આયોજકો અનુસાર બેન્કિગ અને નાણાકીય સેવાઓ, ખાસ કરી જાહેર ક્ષેત્રની બેંક અને સહકારી સંસ્થામાં સમસ્યા આવી શકે છે. ચેક ક્લિયરન્સ, ગ્રાહક સહાયતા અને બ્રાંચની અંદર કામકાજમાં વિલંબ થઈ શકે છે.
પ્રભાવિત થનાર અન્ય ક્ષેત્રોમાં કોલસા ખનન, પોસ્ટ સેવાઓ, સરકારી વિભાગ અને કેટલાક રાજ્યોમાં જાહેર પરિવહન નેટવર્ક સામેલ છે. સમાચાર પ્રમાણે નેશનલ મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (NMDC) અને સ્ટીલ તથા ખનના ક્ષેત્રોના અન્ય PSU (જાહેર ક્ષેત્રના ઉપક્રમ) ના મજૂર પણ આ બંધમાં ભાગ લઈ શકે છે.
ભારત બંધ માટે કઈ રીતે તૈયાર રહેશો?
પરંતુ સ્કૂલ, કોલેજ કે ઓફિસો માટે કોઈ સત્તાવાર રાષ્ટ્રવ્યાપી બંધ નથી. તેમ છતાં લોકોને સલાહ આપવામાં આવે છે કે તે પહેલાથી યોજના બનાવી લે. યાત્રામાં મુશ્કેલી, વિરોધ માર્ચ અને રોડમાં જામને કારણે અવરજવરમાં સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને તે શહેરોમાં જ્યાં યુનિયનનું કાર્ય વધુ છે. તે સલાહ આપવામાં આવે છે કે સ્થાનીય સલાહ જરૂર જુઓ, યાત્રા માટે વધારાનો સમય કાઢો અને વિરોધ પ્રદર્શનો ચાલતા હોય તે વિસ્તારમાં જવાથી બચો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે