Home> India
Advertisement
Prev
Next

બિહારની 'મુસ્કાને' મહેંદીનો રંગ ઉતરતા પહેલા ઉજાડ્યો સુહાગ, 14 દિવસમાં તૂટ્યો 7 જન્મોનો સંબંધ

મેરઠ કેસની તર્જ પર ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં પણ એક ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. તેમના લગ્ન 14 દિવસ પહેલા જ થયા હતા, આ મામલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે જેમાં પોલીસને મોટી સફળતા મળી છે અને તેણે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે.

બિહારની 'મુસ્કાને' મહેંદીનો રંગ ઉતરતા પહેલા ઉજાડ્યો સુહાગ, 14 દિવસમાં તૂટ્યો 7 જન્મોનો સંબંધ

મેરઠના સૌરભ રાજપૂત હત્યાકાંડે સૌને ચોંકાવી દીધા છે. મુસ્કાને પ્રેમી સાહિલ સાથે મળીને તેના પતિની નિર્દયતાથી હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરી પ્લાસ્ટિકના ડ્રમમાં પેક કરી દીધા. હજુ આ મામલો થાળે પડ્યો નથી ત્યારે ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે. મેરઠની તર્જ પર આ ઘટના બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને તેમણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે જેમાં માત્ર 15 દિવસ પહેલા જ લગ્ન કરનાર મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી હતી.

fallbacks

પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે કેસ
ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં પ્રગતિ યાદવે તેના પ્રેમી અનુરાગ સાથે મળીને લગ્નના 14 દિવસ બાદ જ તેના પતિ દિલીપ યાદવની હત્યા કરી નાખી. કહેવામાં આવી રહ્યું છે કે પ્રગતિ અને અનુરાગ 4 વર્ષથી રિલેશનશિપમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પરિવારના સભ્યોના દબાણને કારણે પ્રગતિએ દિલીપ સાથે લગ્ન કર્યા. જોકે, તે આ સંબંધથી ખુશ નહોતી અને તેણે મજબૂરીમાં લગ્ન કરી લીધા હતા.

લગ્નના 15 દિવસમાં જ પતિની હત્યા
બળજબરીથી થયેલા લગ્નનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું અને પ્રગતિએ પોતાના પ્રેમી અનુરાગ સાથે મળીને લગ્નના 15 દિવસમાં જ તેના પતિ દિલીપની હત્યા કરાવી. 7 ફેરા લઈ 7 જન્મોનો સંબંધ થોડા જ દિવસોમાં વિશ્વાસઘાતનો શિકાર બની ગયો.

લગ્નના 15 દિવસ બાદ પત્નીએ પતિની હત્યા કરી નાખી. દિલીપનો મૃતદેહ ખેતરમાંથી મળી આવતા સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો હતો. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી સમગ્ર કેસનો ભેદ ઉકેલ્યો હતો. અહેવાલ મુજબ પ્રગતિએ દિલીપની હત્યા 1 લાખ રૂપિયા આપીને કરાવી હતી.

આરોપીની ધરપકડ
આ હત્યાની જાણ પોલીસને થતાં તેમણે તપાસ શરૂ કરી હતી. પોલીસને મોટી સફળતા મળી અને તેમણે પ્રગતિ યાદવ, તેના પ્રેમી અનુરાગ અને તેના મિત્ર રામ જી નાગર નામના 3 લોકોની ધરપકડ કરી. પોલીસે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, ચાર જીવતા કારતૂસ અને એક મોટરસાઇકલ મળી આવી છે.

પોલીસ અધિક્ષક અભિજીત આર શંકરના જણાવ્યા અનુસાર પ્રેમ પ્રકરણના કારણે હત્યા થઈ છે. આરોપી અનુરાગ ઉર્ફે બબલુ ઉર્ફે મનોજ યાદવ અને પ્રગતિ યાદવ વચ્ચે અવૈધ સંબંધો હતા. પ્રગતિના લગ્ન દિલીપ સાથે થયા હતા, પરંતુ તે લગ્નથી ખુશ ન હતી. તેથી, તે દિલીપને માર્ગમાંથી દૂર કરવા માટે અનુરાગ સાથે એક પ્લાન બનાવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More