Home> India
Advertisement
Prev
Next

બિહારમાં ભ્રષ્ટાચાર ભેટ ચઢ્યો વધુ એક બ્રિજ, ઉદઘાટન પહેલાં જ ધડામ દઇને તૂટી પડ્યો

Bihar bridge collapse: ઉદઘાટન પહેલાં જ બિહારના બેગૂસરાયમાં ગંડક નદી પર બનેલો પુલ પાણીમાં સમાઇ ગયો. પુલ તૂટ્યા બાદ નીતીશ કુમારની સરકાર પર સવાલ ઉદભવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ પુલ પણ સરકારી ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગયો. 

બિહારમાં ભ્રષ્ટાચાર ભેટ ચઢ્યો વધુ એક બ્રિજ, ઉદઘાટન પહેલાં જ ધડામ દઇને તૂટી પડ્યો

Begusarai: બિહારમાં પુલ તૂટી પડવા અને ચોરીના કેસ સામાન્ય બની ગયા છે. બિહારમાં પુલ ધરાશાયી થવાનો મામલો બેગૂસરયથી આવ્યો છે જ્યાં બૂઢી ગંડક નદી પર બનેલો ઉદઘાટન પહેલાં ધરાશાયી થઇ ગયો અને નદીના પાણીમાં સમાઇ ગયો. જોકે રાહત સમાચાર એ છે કે આ અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી નથી. પરંતુ પુલ તૂટતાં જ નીતીશ કુમાર સરકારના કામને લઇને પ્રશ્નો ઉદભવી રહ્યા છે. ભ્રષ્ટાચાર પ્રત્યે તેમની નીતિ પર સવાલ ઉભા થયા છે. 

fallbacks

આ પુલ તૂટ્યાના બે દિવસ પહેલાં જ લોકોની અવર-જવર બંધ કરવામાં આવી હતી. જોકે આ પુલમાં તિરાડ દેખાઇ રહી હતી ત્યારબાદ લોકોના તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બેગૂસરાયના કલેક્ટરે જણાવ્યું હતું કે પુલના ઉપયોગ માટે અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે પુલ તૂટી પડવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય

5 વર્ષમાં તૈયાર ન થયો આ પુલ
આ પુલની કહાની એકદમ રસપ્રદ છે. આ એક હાઇલેવલ આરસીસી પુલ હતો જેના નિર્માણની શરૂઆત વર્સઝ 2016 માં થઇ હતી. તેને ઓગસ્ટ 2017 સુધી તૈયાર કરવાનો હતો. પરંતુ આ પુલનું ઉદઘાટન હજુ સુધી થયું ન હતું અને તે પહેલાં જ તે તૂટી ગયો. આ પુલનું નિર્માણ મુખ્યમંત્રી નાવાર્ડ યોજના અંતગર્ત થયું હતું. જેને બનાવવામાં 14.43 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. આ પુલને આહોક કૃતિ ટોલ અને વિષ્ણુપુરની વચ્ચે બનાવવામાં આવ્યો હતો. 

જાણકારી અનુસાર પુલ સુધી પહોંચનારા એપ્રોચ રોડનું નિર્માણ થઇ શક્યું ન હતું તેમછતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યા હતા. ટ્રેક્ટર પણ આ પુલ પરથી અવરજવર કરી રહ્યા હતા. થોડા સમય પહેલાં તેમાં તિરાડ જોવા મળી તો અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો. પરંતુ કોને ખબર હતે કે પુલ ઉદઘાટન પહેલાં જ પાણીમાં સમાઇ જશે.

પુલને લઇને લોકો સવાલ કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે તેને બનાવતી વખતે નિયમોનું અવગણના કરવામાં આવી. લૂંટના કારને આ પુલ ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગયો. અકસ્માતમાં મા ભગવતી કંસ્ટ્રક્શન કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા પુલના પિલર નંબર 2 અને 3 ની વચ્ચેનો ભાગ તૂટીને ગંડક નદીમાં સમાઇ ગયો. 

આ પણ વાંચો: ઘરમાં કચરાં-પોતું કરતાં આ વાતોનું રાખોનું ધ્યાન, નહીંતર મુસિબતમાં મુકાશો!
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: બેચલર પાર્ટી માટે બેસ્ટ છે આ પ્લેસીસ, લગ્ન પહેલાં મિત્રો સાથે મનભરીને માણો મસ્તી!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More