નવી દિલ્હી: પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ઉમા ભારતી (Uma Bharti) કોરોના પોઝિટિવ (Corona Positive) થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ટ્વીટમાં ઉમા ભારતીએ લખ્યું છે કે તેમણે પ્રશાસનની ટીમને જાણ કરીને બોલાવ્યા અને પોતાનો કોરોના ટેસ્ટ (Corona Test) કરાવ્યો. ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે એક સ્થાન પર પોતાને ક્વૉરન્ટીન કર્યા છે. ઉમા ભારતીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
Drugs Case: પૂછપરછમાં 'ઢાંકપિછોડો' કર્યો, પણ ચાલાક NCBની એક ચાલ અને બધાનું કામ તમામ!
ઉમા ભારતીએ ટ્વીટ કરીને લખ્યું છે કે 'હું તમારી જાણકારીમાં આ વાત રજુ કરી રહી છું કે આજે મારી પહાડની યાત્રાની સમાપ્તિના છેલ્લા દિવસે પ્રશાસનને આગ્રહ કરીને કોરોના ટેસ્ટ માટે ટીમને બોલાવી. કારણ કે મને 3 દિવસથી હળવો તાવ હતો.'
२) मैंने हिमालय में कोविड के सभी विधिनिषेध एवं सोशल डिस्टंस का पालन किया फिर भी मै अभी क़ोरोना पोज़िटिव निकली हू ।
— Uma Bharti (@umasribharti) September 26, 2020
ઉમા ભારતીએ અન્ય કેટલીક ટ્વીટ પણ કરી જેમાં તેમણે પોતે કોરોના પોઝિટિવ હોવાની સૂચના આપી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે 'મે હિમાલયમાં કોવિડના તમામ પ્રતિબંધો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. આમ છતાં હું કોરોના પોઝિટિવ થઈ. હું હાલ હરિદ્રાર અને ઋષિકેશ વચ્ચે વંદે માતરમ કૂંજમાં ક્વોરન્ટિન છું. જે મારા પરિવાર જેવો છે. 4 દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવીશ અને સ્થિતિ આમ જ રહેશે તો ડોક્ટરોની ભલામણ મુજબ નિર્ણય લઈશ.'
१) मै आपकी जानकारी मै यह डाल रही हू की मैंने आज अपनी पहाड़ की यात्रा के समाप्ति के अन्तिम दिन प्रशासन को आग्रह करके कोरोना टेस्ट के टीम को बुलवाया क्यूँकि मुझे ३ दिन से हलका बुख़ार था ।
— Uma Bharti (@umasribharti) September 26, 2020
ઉમા ભારતીએ ટ્વીટમાં અપીલ કરી છે કે 'મારી આ ટ્વીટને મારા સંપર્કમાં આવેલા ભાઈ બહેનો વાંચે કે તેમને જાણકારી મળે તે બધાને અપીલ છે કે તેઓ કોરોના ટેસ્ટ કરાવે અને સાવધાની વર્તે.'
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે