Home> India
Advertisement
Prev
Next

UP માં ભાજપને વધુ એક આંચકો, હવે આ ધારાસભ્યએ ફાડ્યો છેડો

યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) પહેલા નેતાઓ દ્રારા પક્ષ બદલવાનો ખેલ ચાલી રહ્યો છે. હવે ભાજપના વધુ એક ધારાસભ્ય દારા સિંહ ચૌહાણે (Dara Singh Chauhan) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

UP માં ભાજપને વધુ એક આંચકો, હવે આ ધારાસભ્યએ ફાડ્યો છેડો

લખનઉ: યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) પહેલા નેતાઓ દ્રારા પક્ષ બદલવાનો ખેલ ચાલી રહ્યો છે. હવે ભાજપના વધુ એક ધારાસભ્ય દારા સિંહ ચૌહાણે (Dara Singh Chauhan) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી છે. રાજીનામા બાદ દારા સિંહ ચૌહાણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં તેમના સમર્થકો સાથે મુલાકાત કરશે અને ભવિષ્ય માટે રણનીતિ બનાવશે.

fallbacks

કેશવ પ્રસાદ મૌર્યની પુનર્વિચારની અપીલ
પાર્ટીમાંથી દારા સિંહ ચૌહાણ (Dara Singh Chauhan) ના રાજીનામા બાદ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. જો કે ચૌહાણે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. દારા સિંહ ચૌહાણ ઓબીસીમાંથી આવનાર નોનિયા ચૌહાણ સમાજના છે. તેઓ બે વખત રાજ્યસભા અને એક વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં મઉં જિલ્લાની મઘુબેન બેઠક પરથી ધારાસભ્ય છે.

સાઇબર હુમલા રોકવા માટે સરકારની ખાસ તૈયારી, મહારાષ્ટ્રમાં તૈયાર થયો આ ફુલપ્રૂફ પ્લાન

સ્વામી પ્રસાદ મૌર્યએ પણ પાર્ટી છોડી દીધી છે
તમને જણાવી દઈએ કે આ પહેલા બસપામાંથી ભાજપમાં આવેલા અને યોગી આદિત્યનાથ સરકારમાં 5 વર્ષ સુધી મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ પણ ભાજપ છોડવાની જાહેરાત કરી છે. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા હતા, જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે તેણે હજુ સુધી સપામાં જોડાવાની ઔપચારિક જાહેરાત કરી નથી.

બીજા કેટલાક ધારાસભ્યોએ કરી જાહેરાત
સ્વામી પ્રસાદ મૌર્યની જાહેરાત બાદ તેમને ટેકો આપતા વધુ ત્રણ ધારાસભ્યોએ પણ ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. ભાજપ (BJP) ના ટોચના નેતાઓ હાલ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે. જો કે કેટલાક નેતાઓનું કહેવું છે કે કામગીરીની કામગીરીના આધારે આ વખતે કેટલાક ધારાસભ્યોની ટિકિટ કાપવાની છે. આવા સંજોગોમાં જે નેતાઓએ 5 વર્ષ સુધી કોઈ કામ કર્યું નહોતું, તેઓમાં હવે નાસભાગ મચી ગઈ છે. તેમણે દાવો કર્યો હતો કે આ નાસભાગ પાર્ટીને અસર કરશે નહીં, પરંતુ તે વધુ મજબૂત બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More