Home> India
Advertisement
Prev
Next

Mine Blast at LOC: જમ્મુના નૌશેરામાં LOCની પાસે માઈન બ્લાસ્ટ, 6 જવાનો ઘાયલ

Mine Blast at LOC: જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં મંગળવારે એક દુઃખદ ઘટના બની. અહીં નિયમિત પેટ્રોલિંગ કરી રહેલી સૈનિકોની એક ટીમ માઈન બ્લાસ્ટનો શિકાર બન્યા હતા. જેમાં ઘણા સૈનિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, તેમની હાલત સ્થિર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Mine Blast at LOC: જમ્મુના નૌશેરામાં LOCની પાસે માઈન બ્લાસ્ટ, 6 જવાનો ઘાયલ

Mine Blast at LOC: મંગળવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (થધણ) નજીક એક માઈન વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ સેનાના જવાનો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ગોરખા રાઇફલ્સના સૈનિકોની એક ટુકડી રાજૌરીના ખાંબા કિલ્લા પાસે સવારે લગભગ 10:45 વાગ્યે નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આકસ્મિક વિસ્ફોટ થયો. ઘાયલ સૈનિકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર તેમની હાલત સ્થિર છે અને તેમને સામાન્ય ઈજાઓ થઈ છે.

fallbacks

મળતી માહિતી અનુસાર આ વિસ્ફોટ ભવાની સેક્ટરના મકરી વિસ્તારમાં થયો હતો. ભારતીય સેનાના અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ઘૂસણખોરી વિરોધી અવરોધ પ્રણાલીના ભાગ રૂપે LOC નજીકના આગળના વિસ્તારોમાં લેન્ડમાઇન બિછાવવામાં આવ્યા છે, જે ક્યારેક વરસાદને કારણે ધોવાઈ જાય છે અને આવા અકસ્માતો સર્જાય છે.

મહેલથી કમ નથી નીતા અંબાણીનું પ્રાઈવેટ જેટ... ફોટા જોઈને કહેશો વાહ, જિંદગી હો તો એસી!

રક્ષા મંત્રી જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં હાજર છે. આ પ્રસંગે તેમણે પાકિસ્તાન પર પ્રહારો કર્યા અને ભારત માટે PoKનું મહત્વ સમજાવ્યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના વડાપ્રધાન ચૌધરી અનવરુલ હકની ભારત પરની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર POK વિના અધૂરું છે. તેમણે એમ પણ કહ્યું કે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, તેને સફળતા મળશે નહીં. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, પાકિસ્તાને POKમાં જે આતંકવાદ ફેક્ટરીઓ ચલાવી રહ્યું છે તેને પણ બંધ કરી દેવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More