Home> India
Advertisement
Prev
Next

દેશના દરેક ગરીબ અને મિડલ ક્લાસ પર માતા લક્ષ્મીની કૃપા...બજેટ સત્ર પહેલા પીએમ મોદીનો શું સંકેત?

Budget Session: આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આ બજેટ લોકોમાં એક નવો વિશ્વાસ પેદા કરશે. 

દેશના દરેક ગરીબ અને મિડલ ક્લાસ પર માતા લક્ષ્મીની કૃપા...બજેટ સત્ર પહેલા પીએમ મોદીનો શું સંકેત?

આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના દ્વાર પર દેશને સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે બજેટ પહેલા હું માતા લક્ષ્મીને પ્રણામ કરું છું. તેમણે એક સંસ્કૃત શ્લોક પણ ઉચ્ચાર્યો. પીએમ મોદીએ કહ્યું કે માતા લક્ષ્મી આપણને સિદ્ધિ અને વિવેક આપે છે. સમૃદ્ધિ અને કલ્યાણ પણ આપે છે. હું માતા લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગ પર સમુદાય પર વિશેષ કૃપા થાય. 

fallbacks

આ બજેટ એક નવો વિશ્વાસ પેદા કરશે
પીએમ મોદીએ બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કહ્યું કે સાથીઓ આપણા ગણતંત્રના 75 વર્ષ પૂરા થઈ ગયા છે. દેશની જનતાએ મને ત્રીજીવાર આ જવાબદારી આપી છે. આ ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થશે વિક્સિત ભારતનો જે સંકલ્પ દેશે લીધો છે આ બજેટ સત્ર આ બજેટ એક નવો વિશ્વાસ પેદા કરશે. નવી ઉર્જા આપશે કે દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ ઉજવશે ત્યારે વિક્સિત થઈને રહેશે. 140 કરોડ દેશવાસીઓ પોતાના સામૂહિક પ્રયત્નથી આ સંકલ્પને પૂરો કરશે. 

મિશન મોડમાં કામ
પીએમ મોદીએ કહ્યું કે ત્રીજી ટર્મમાં અમે મિશન મોડમાં દેશને સર્વાગી વિકાસની દિશામાં, ભલે ભૌગોલિક રીતે હોય કે પછી સામાજિક રીતે કે આર્થિક રીતે મિશન મોડમાં આગળ વધી રહ્યા છીએ. ઈનોવેશન, ઈન્ક્લુઝન, અને ઈન્વેસ્ટમેન્ટમાં તે સતત આપણા આર્થિક ગતિવિધિના રોડમેપનો આધાર રહ્યો છે. આ સત્રમાં હંમેશાની જેમ અનેક ઐતિહાસિક બિલ પર સદને ચર્ચા કરવી પડશે અને વ્યાપક મંથન  રાષ્ટ્રની તાકાત વધારવાનું કામ કરનારા કાયદા બનશે. ખાસ કરીને નારી શક્તિનું ગૌરવ ફરીથી સ્થાપિત કરવું, પંથ સંપ્રદાયના ભેદથી મુક્ત થઈને નારીને સન્માનપૂર્ણ જીવન મળે તેને પણ સમાન અધિકાર મળે તે દિશામાં આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. 

તેમણે કહ્યું કે રિફોર્મ, પરફોર્મ, અને ટ્રાન્સફોર્મ દ્વારા દશ વિકાસની ગતિ મેળવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને પરફોર્મ કરવાનું હોય છે અને જન ભાગીદારીથી આપણે ટ્રાન્સફોર્મ જોઈ શકીએ છીએ. આપણા યુવા દેશ છે, યુવાશક્તિ છે અને આજે જે 20-25 વર્ષના યુવાઓ છે જ્યારે તેઓ 45-50 વર્ષના થશે ત્યારે તેઓ વિક્સિત ભારતના સૌથી મોટા બેનિફિશિયરી થવાના છે. ઉંમરના તે પડાવ પર હશે, નીતિ નિર્ધારણની સ્થિતિમાં હશે કે ગર્વ સાથે આઝાદી બાદ જે શતાબ્દી શરૂ થશે એક વિક્સિત ભારત સાથે આગળ વધશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More