કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)ના ધોરણ 10નું પરિણામ આવી ગયું છે. બોર્ડે ધોરણ 10નું પરિણામ આજે જાહેર કર્યું છે. સીબીએસઈ ધોરણ 10ના પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી 93.66% છે. જે ગત વર્ષના 93.60% કરતા થોડું વધારે છે. કુલ 23,71,939 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 22,21,636 વિદ્યાર્થીઓ પાસ થયા છે. દેશભરમાં વિદ્યાર્થીઓ અને પરીક્ષા કેન્દ્રોમાં સંખ્યામાં વધારા છતાં સ્થિર પ્રદર્શન આવે છે જે સતત શૈક્ષણિક પરિણામોનો સંકેત આપે છે.
વિદ્યાર્થીનીઓએ મારી બાજી
સીબીએસઈ બોર્ડ ધોરણ 10ના પરિણામમાં આ વર્ષે છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 95% છે જ્યારે 92.63% છોકરાઓ પાસ થયા છે. ટ્રાન્સજેન્ડરનું પરિણામ 95 ટકા રહ્યું.
કેવી રીતે જોઈ શકો પરિણામ
વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ અધિકૃત વેબસાઈટ cbse.gov.in પર જોઈ શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે વિદ્યાર્તીઓ વેબસાઈટના હોમ પેજ પર “CBSE 10th Result 2025”લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પોતાનો રોલ નંબર, સ્કૂલ નંબર, કેન્દ્ર સંખ્યા, અને એડમિટ કાર્ડ આઈડી જેવી જરૂરી વિગતો ભરવાની રહેશે. સબમિટ કર્યા બાદ વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ સ્ક્રીન પર જોઈ શકશે અને તેને ડાઉનલોડ કરી શકશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ ડિજિલોકર એપ અને વેબસાઈટ results.digilocker.gov.in ના માધ્યમથી પણ પોતાની ડિજિટલ માર્કશીટ મેળવી શકે છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અધિકૃત જાહેરાતો માટે CBSE ની વેબસાઈટ પર નિયમિત રીતે નજર રાખે અને કોઈ પણ અપુષ્ટ ખબરો પર ધ્યાન ન આપે.
આ વેબસાઈટ્સ પર કરી શકો ચેક...
www.cbse.gov.in
www.results.nic.in/
results.digilocker.gov.in/
umang.gov.in
CBSE એ આ વર્ષે પુર્નમુલ્યાંકન પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. હવે વિદ્યાર્થીઓ સીધા માર્કસ કે વેરિફિકેશન કે પુર્નમુલ્યાંકન માટે અરજી કરતા પહેલા પોતાની મુલ્યાંકન કરાયલી આન્સર શીટની ફોટોકોપી મેળવી શકશે. તેનો હેતુ વિદ્યાર્થીઓને પોતાની ઉત્તર વાહિનીઓની તપાસ કરવા અને એ સમજવાની તક આપવાનો છે કે તેમને કયા આધાર પર નંબર આપવામાં આવ્યા છે.
આન્સરશીટની ફોટોકોપી મેળવ્યા બાદ જો વિદ્યાર્થીઓને મૂલ્યાંકનમાં ભૂલ લાગે તો તેઓ માર્ક્સના વેરિફિકેશન માટે અરજી કરી શકે છે. જેમાં અંકોની પોસ્ટિંગ કે કુલિંગમાં કોઈ પણ ભૂલની તપાસ સામેલ છે. જો વિદ્યાર્થીઓને લાગે કે તેમનુ મૂલ્યાંકન યોગ્ય રીતે થયું નથી તો ત્યારબાદ વિદ્યાર્થીઓ વિશિષ્ટ પ્રશ્નોના મૂલ્યાંકન માટે પણ અરજી કરી શકે છે.
આ પ્રક્રિયાઓ માટે અરજી CBSEની અધિકૃત વેબસાઈટ cbse.gov.in ના માધ્યમથી ઓનલાઈન કરી શકાશે. બોર્ડ જલદી આ પ્રક્રિયાઓ માટે વિસ્તૃત દિશાનિર્દેશ અને સમયસારણી જારી કરશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ લેટેસ્ટ અપડેટ માટે વેબસાઈટની નિયમિત રીતે તપાસ કરતા રહે. આ નવી પ્રક્રિયા વિદ્યાર્થીઓને વધુ પારદર્શકતા અને સંતોષ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે