Home> India
Advertisement
Prev
Next

સરકારી કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય! વૃદ્ધ માતા-પિતાની સંભાળ માટે લઈ શકે છે 30 દિવસની રજા, નહીં કપાઈ પગાર

Government Employees: સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીઓ આ એક કામ માટે 30 દિવસની રજા લઈ શકે છે અને કર્મચારીઓનો કોઈ પગાર કાપવામાં આવશે નહીં.

સરકારી કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય! વૃદ્ધ માતા-પિતાની સંભાળ માટે લઈ શકે છે 30 દિવસની રજા, નહીં કપાઈ પગાર

Government Employees: સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે સરકારી કર્મચારીઓ આ એક કામ માટે 30 દિવસની રજા લઈ શકે છે. જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અને તમારા વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માટે ચિંતિત છો. તો સરકારે હવે મોટી રાહત આપી છે. તમે તમારા માતા-પિતાની સંભાળ રાખવા માટે 30 દિવસની રજા લઈ શકો છો.

fallbacks

કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી ડો. જીતેન્દ્ર સિંહે ગુરુવારે રાજ્યસભામાં માહિતી આપી કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 દિવસની Earned Leaveનો લાભ લઈ શકે છે, જેમાં તેઓ તેમના વૃદ્ધ માતાપિતા અને અન્ય અંગત બાબતોની સંભાળ રાખી શકે છે.

Loan ભરતા-ભરતા થઈ જશો કંગાલ, ખરાબ થઈ જશે CIBIL! PAN કાર્ડ સાથે આ બેદરકારી કરી દેશે ખરાબ હાલત

સરકારી કર્મચારીઓને મળતી રજાઓ
તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય સિવિલ સર્વિસીસ (લીવ) નિયમ 1972 હેઠળ, એક કર્મચારીને દર વર્ષે 30 દિવસની Earned Leave, 20 દિવસની હાફ પે લીવ (Half Pay Leave), 8 દિવસની કેઝ્યુઅલ રજા (Casual Leave) અને 2 દિવસની Restricted રજા મળે છે. આ બધી રજાઓ વ્યક્તિગત કારણોસર મેળવી શકાય છે.

ડો. સિંહને પૂછવામાં આવ્યું કે, શું કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓને વૃદ્ધ માતા-પિતાની સેવા માટે કોઈ ખાસ રજાની સુવિધા પૂરી પાડે છે? આના પર તેમણે કહ્યું કે, આ માટે કોઈ અલગ ખાસ રજાની જરૂર નથી, કારણ કે પહેલાથી જ ઉપલબ્ધ રજાઓ આ જરૂરિયાત પૂરી કરી શકે છે.

આ મંદિરના ગર્ભગૃહમાં એટલું સોનું છે કે જેનાથી બની શકે છે બીજું ભારત, પરંતુ દરવાજા પર છે મોતની પહરેદારી!

આ દરમિયાન બીજા પ્રશ્નના જવાબમાં ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, ભારત ત્રણ પ્રકારના નાના મોડ્યુલર રિએક્ટર (Small Modular Reactors - SMR) વિકસાવી રહ્યું છે. આમાંથી એક રિએક્ટર હાઇડ્રોજન ઉત્પાદન માટે હશે. આ ટેકનોલોજી ભવિષ્યમાં ઉર્જા સંકટનો સામનો કરવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે અને ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ એક મોટું પગલું સાબિત થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More