ઝી મીડિયા/બ્યૂરો :ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2020) નો પ્રારંભ આ અઠવાડિયામાં 25 માર્ચ, બુધવારથી થઈ રહ્યો છે. બુધવારે મા દુર્ગાના પૂજાનો પ્રથમ દિવસ એટલે કે પહેલી નવરાત્રિ હશે. 25 માર્ચના રોજ કળશ સ્થાપના કરવામાં આવશે. તેના બાદ આગામી નવ દિવસ સુધી માતાના વિવિધ રૂપોનું પૂજન કરવામા આવશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર મા દુર્ગા નાવડી પર સવાર થઈને આવનાર છે. માનું નૌકા વિહાર કરીને આવવું બહુ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ માતા નૌકા વિહાર પર સવાર થઈને આવે છે, તો સર્વસિદ્ધ યોગ બને છે.
આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 9 દિવસની છે. એટલે કે, એક પણ દિવસ ઓછો નહિ. જ્યારે પણ 9 દિવનસી નવરાત્રિ હોય છે, તેને શુભતા અને ખુશહાલીનું પ્રતિક માનવામા આવે છે.
કળશ સ્થાપના મુહૂર્ત
25 માર્ચ, બુધવારના દિવસે કળશ સ્થાપના કરવામાં આવશે. અભિજીત મુહૂર્ત દિવસમાં 11.36 વાગ્યે બપોરે 12.24 વાગ્યા સુધી રહેશે. આ વચ્ચે કળશ સ્થાપિત કરવાનું ઉત્તમ રહેશે. ચૈત્ર નવરાત્રિની સાથે હિન્દુ નવ વર્ષ (Hindu New Year 2020)ની શરૂઆત પણ થાય છે. આ દિવસે ગુડી પાડવો (Gudi Padwa 2020) અને યુગાદી પણ મનાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિએ આ વર્ષે અનેક શુભ યોગ બની રહ્યાં છે. 4 સર્વાશ સિદ્ધિ યોગ, 5 રવિ યોગ, એક દ્વિપુષ્કર યોગ અને એક ગુરુ પુષ્ય યોગ બને છે.
વર્ષમાં બે વાર નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્ર નવરાત્રિ ગરમીની સીઝનની શરૂઆતમાં આવે છે. તેમાં ઉપવાસ રાખીને માતાના 9 સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે