Home> India
Advertisement
Prev
Next

ચંદ્રયાન-2 લોન્ચિંગ : સાત દિવસથી ઘરે ગઈ ન હતી ઈસરોની ટીમ

ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરીને ભારતે વિશ્વને અચંભિત કરી દીધું છે, પરંતુ તેની પાછળ ભારતીય વૈજ્ઞાનિકોની અપાર મહેનત છે 
 

ચંદ્રયાન-2 લોન્ચિંગ : સાત દિવસથી ઘરે ગઈ ન હતી ઈસરોની ટીમ

નવી દિલ્હીઃ ચંદ્રયાન-2ની સફળ લોન્ચિંગ અંગે ટીમને અભિનંદન આપતા સમયે ઈસરોના ચેરમેન કે. સિવન અત્યંત ભાવુક થઈ ગયા હતા. ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણને વિજ્ઞાન અને ભારત માટે તેમણે ઐતિહાસિક દિવસ જણાવ્યો હતો. ભારતીય વૈજ્ઞાનિકોએ રાત-દિવસ એક કરીને સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી ચંદ્રયાન-2 તૈયાર કર્યું છે. ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે ઈસરોની ટીમ છેલ્લા 7 દિવસથી ઘરે ગઈ ન હતી. 

fallbacks

ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણની માહિતી આપતા સમયે ઈસરોના ચેરમેન કે.સિવનનું ગળું ભરાઈ આવ્યું હતું. તેમણે ચંદ્રયાન-2 મિશન સાથે સંકળાયેલી તમામ ટીમોની પ્રશંસા કરી અને જણાવ્યું કે, "તમે જે રીતે પોતાનું ઘર-બાર છોડીને, પોતાના અંગત હિત-અહિતને નજરઅંદાજ કરીને રાત-દિવસ એક કરી દીધા, તેના માટે હું તમને સૌને સલામ કરું છું."

ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જ શા માટે ઉતરશે ચંદ્રયાન-2? કારણ છે મોટું...

ઈસરોના ચેરમેને જણાવ્યું કે, "તમે છેલ્લા 7 દિવસથી પોતાના પરિજનોને ભુલી જઈને, પોતાનો હિતોનો ત્યાગ કરીને કામમાં લાગેલા હતા અને સ્નેગને સંપૂર્ણ પણે રિપેર કરી નાખ્યું. માત્ર 5 દિવસમાં જ ટેક્નિકલ ખામીને દૂર કરવા માટે હું તમારા સૌનો આભાર માનું છું." તેમણે ઈસરોના એન્જિનિયરો, ટેક્નિશિયનો, ટેક્નિકલ સ્ટાફ સહિત તમામ ટીમોનું અભિવાદન કર્યું અને આભાર માન્યો હતો. 

ચંદ્રયાન-2: હોલિવૂડ ફિલ્મ અવેન્જર્સ કરતાં પણ ઘણા ઓછા બજેટમાં પૂર્ણ થયું સમગ્ર મિશન...!

આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, "આપણું કામ હજુ પુરું થયું નથી. આપણી ટીમે મિશન ચંદ્રયાન-2ને હજુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી લઈ જવામાં મહેનત કરવાની છે."

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More