Home> India
Advertisement
Prev
Next

રાજ્યસભામાં આજે રજુ થશે નાગરિકતા સંશોધન બિલ, સરકારે કરી તૈયારી

રાજ્યસભામાં(Rajyasabha) બપોરે 2.00 કલાકે નાગરિકતા સંશોધન બિલ-2019 (Citizenship Amendment Bill 2019) રજુ કરવામાં આવશે. આ બિલ(Bill) પર ચર્ચા માટે 6 કલાકનો(6 Hour) સમય સભાપતિ દ્વારા આપવામાં આવ્યો છે.

રાજ્યસભામાં આજે રજુ થશે નાગરિકતા સંશોધન બિલ, સરકારે કરી તૈયારી

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ-2019(Citizenship Amendment Bill 2019) લોકસભામાં(Loksabha) પસાર થઈ ગયા પછી બુધવારે રાજ્યસભામાં(Rajyasabha) બપોરે 2.00 કલાકે રજુ થવાનું છે. વિરોધ પક્ષે આ બિલનો ભારે વિરોધ શરૂ કર્યો છે. રાજ્ય સરકારે પણ રાજ્યસભામાં(Rajyasabha) બિલ પસાર કરવાની પુરતી તૈયારીઓ કરી લીધી છે. સરકાર તરફથી રાજ્યસભા માટે સંપૂર્ણ હોમવર્ક કરાયું છે. બધી જ પાર્ટીઓનો ટેકો મેળવીને સંખ્યાબળ એક્ઠું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 

fallbacks

રાજ્યસભામાં 2.00 કલાકે રજુ થશે બિલ
રાજ્યસભામાં(Rajyasabha) બપોરે 2.00 કલાકે નાગરિકતા સંશોધન બિલ-2019 (Citizenship Amendment Bill 2019) રજુ કરવામાં આવશે. આ બિલ(Bill) પર ચર્ચા માટે 6 કલાકનો(6 Hour) સમય સભાપતિ દ્વારા આપવામાં આવ્યો છે. વિરોધ પક્ષના વિરોધની વચ્ચે સરકાર આ બિલ પાસ કરાવવા માટે કટિબદ્ધ છે. 

નાગરિકતા સંશોધન બિલ-2019: શું છે નિયમ? સરકાર કયા ફેરફાર કરવા જઈ રહી છે?...જાણો...

એનડીએનો આંકડો
રાજ્યસભામાં એનડીએ પાસે 106નો આંકડો છે. એનડીએ બીજા સાથી પક્ષોની મદદથી બહુમતનો આંકડો એક્ઠો કરવાની તૈયારીમાં છે. વાયએસઆર કોંગ્રેસની સાથે જ એઆઈડીએમકેએ પણ રાજ્યસભામાં આ બિલને ટેકો આપવાનું જણાવ્યું છે. બહુમતિ માટે સરકારને 121 સાંસદોના સમર્થનની જરૂર છે. હાલ એનડીએને 128 સાંસદોનો ટેકો હોવાનો અંદાજ છે. 

લોકસભામાં પાસ થયું નાગરિકતા સંશોધન બિલ, પીએમ મોદીએ અમિત શાહની પ્રશંસામાં કરી આ વાત

ગુજરાત સરકાર પર અધધધ 2 લાખ કરોડથી વધુનું દેવું છે,  સરકારે બે વર્ષમાં ચૂકવ્યું 35 હજાર કરોડ વ્યાજ... જુઓ વીડિયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More