નવી દિલ્હીઃ ભારત સરકારે 'સ્વચ્છતા સર્વેક્ષણ 2019'ના આધારે દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદી બુધવારે જાહેર કરી હતી અને વિજ્ઞાન ભવનમાં આ સાથે એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. સતત ત્રીજા વર્ષે ઈન્દોર દેશનું 'સૌથી સ્વચ્છ શહેર' બન્યું અને સૌથી સ્વચ્છ રાજધાનીની શ્રેણીમાં મધ્યપ્રદેશનું ભોપાલ પ્રથમ સ્થાને રહ્યું. સર્વેમાં છત્તીસગઢને બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં અમદાવાદ અને 5 લાખથી ઓછી વસતી ધરાવતા શહેરોમાં ઉજ્જૈન પ્રથમ સ્થાને રહ્યું છે.
છત્તીતસગઢના નગરનિગમ મંત્રી ડો. શિવકુમાર ડહરિયાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ ઉપરાંત છત્તીસગઢના વિવિધ નગરનિગમને પણ જુદા-જુદા વર્ગોમાં સ્થાન મળ્યું છે.
સ્વચ્છતા સર્વેક્ષણ-2019ના પુરસ્કારો માટે કરવામાં આવેલા સરવેમાં દિલ્હીથી આવેલી ટીમે છત્તીસગઢમાં સૌથી વધુ સમય પસાર કર્યો હતો. ટીમે એક સપ્તાહ કરતાં વધુ સમય સુધી જુદા-જુદા ક્ષેત્રોમાં સરવે કર્યો હતો. શહેરી વિકાસ મંત્રાલયે દેશના જુદા-જુદા રાજ્યોનાં કુલ 4,237 શહેરોમાં સરવે કર્યો છે. ત્યાર બાદ જૂદી-જૂદી કેટેગરીમાં રેન્કિંગ જાહેર કરાયું છે.
જુદી-જુદી કેટેગરીના વિજેતાઓ
સ્વચ્છ સર્વેક્ષણ 2019: 10 લાખથી વધુ વસ્તીવાળા સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે
ઈન્દોરે સતત ત્રીજા વર્ષે જીત્યો એવોર્ડ
સંસદીય સમિતીએ FB, વોટ્સએપને ફેક ન્યૂઝથી બચવા કહ્યું, ECIના સંપર્કમાં રહેવા આદેશ
28 દિવસમાં 4237 શહેરોનો સરવે
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વચ્છતા સર્વેક્ષણ-2019માં દેશનાં 4237 શહેરોનો 28 દિવસમાં સરવે કરાયો હતો. આ દરમિયાન વિવિધ ટીમોએ 64 લાખ લોકો પાસેથી ફીડબેક લીધો હતો. સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ શહેરોનાં 4 કરોડ લોકો પાસેથી ફીડબેક લેવાયો હતો. આ ટીમે 41 લાખ ફોટોગ્રાફ્સ કલેક્ટ કર્યા હતા. સરવેમાં સામેલ શહેરો તરફથી સ્વચ્છતાના સંદર્ભમાં 4.5 લાખ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાયા છે.
80 ટકા વેસ્ટ સેગ્રિગેશન
મંત્રાલયના જણાવ્યા અનુસાર 370 કરતાં વધુ શહેર 80 ટકા વોર્ડમાં વેસ્ટ સેગ્રિગેશનનું કામ કરે છે. અનૌપચારીક કચરો વીણતા 84,000 લોકોને રોજગાર મળ્યો છે.
રાષ્ટ્રપતિએ કુંભની કરી પ્રશંસા
આ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રયાગરાજમાં તાજેતરમાં જ સંપન્ન થયેલા કુંભ મેળાની પ્રશંસા કરી અને જણાવ્યું કે, લગભગ 1,20,000 શૌચાલયોની વ્યવસ્થાની સાથે-સાથે સતત સફાઈની જે વ્યવસ્થા કરાઈ હતી તેની અન્ય દેશોએ પણ પ્રશંસા કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રયાગ-કુંભમાંથી શીખીને મોટા સમારોહના આયોજકોએ સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે