Home> India
Advertisement
Prev
Next

PM MODI અને Amit shah કરાવે છે હિંસા, શ્રીનગરમાં BJP-RSS પર બગડ્યા Rahul Gandhi

Bharat Jodo Yatra: રાહુલ ગાંધીએ કહ્યું, હું જ્યારે ભારત યાત્રામાં ચાલી રહ્યો હતો ત્યારે મને ઘણી મહિલાઓ મળી છે. તેમાંથી કેટલાકે ભાવનાત્મક રીતે કહ્યું કે તેમની સાથે બળાત્કાર થયો છે અને હેરાન કરાયા છે. જ્યારે મેં પૂછ્યું કે શું મારે પોલીસને જાણ કરવી જોઈએ, તો તેમણે કહ્યું કે ના તેનાથી અમને નુકસાન થશે.

PM MODI અને Amit shah કરાવે છે હિંસા, શ્રીનગરમાં BJP-RSS પર બગડ્યા Rahul Gandhi

Rahul Gandhi Attacks PM Narendra Modi: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શ્રીનગરમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર જબરદસ્ત વરસ્યા છે. ભારત જોડો યાત્રાના સમાપન પર રાહુલે કહ્યું  છે કે, પીએમ મોદી, અમિત શાહ અને અજીત ડોભાલ હિંસા કરાવે છે. પીએમ મોદી, અમિત શાહ અને આરએસએસના લોકોએ હિંસા જોઈ નથી. તેઓ ભયભીત છે. બીજેપીનો કોઈ નેતા અહીં ચાલી શકશે નહીં, કારણ કે જમ્મુ-કાશ્મીરના લોકો તેને ચાલવા દેશે નહીં, પરંતુ એટલા માટે કે તે ડરેલા છે.

fallbacks

રાહુલ ગાંધીએ કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં પ્રશાસને કહ્યું કે તમે ચાલશો તો તમારા પર ગ્રેનેડ ફેંકવામાં આવશે. તેથી મેં વિચાર્યું કે શા માટે મને નફરત કરનારાઓને એક મોકો ના આપવો જોઈએ.  જેથી તેઓ મારી સફેદ ટી-શર્ટને લાલ કરી શકે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં મને ગ્રેનેડ નથી મળ્યા, મને ખુલ્લા દિલથી પ્રેમ મળ્યો છે. રાહુલે કહ્યું, જ્યારે હું કન્યાકુમારીથી આગળ વધી રહ્યો હતો ત્યારે મને ઠંડી લાગી રહી હતી. મેં કેટલાક બાળકોને જોયા. તેઓ ગરીબ હતા, તેઓ ઠંડી અનુભવતા હતા, તેઓ કામ કરતા હતા અને તેઓ ધ્રૂજી રહ્યા હતા. મેં વિચાર્યું કે જો આ બાળકો ઠંડીમાં સ્વેટર-જેકેટ પહેરી શકતા ન હોય તો મારે પણ ન પહેરવું જોઈએ.

આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ

આ દરમિયાન રાહુલ ગાંધીએ એક કિસ્સો પણ સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે હું શાળામાં હતો ત્યારે શિક્ષકે કહ્યું – રાહુલ પ્રિન્સિપાલે તને બોલાવ્યો છે. પ્રિન્સિપાલે કહ્યું- રાહુલ તારા ઘરેથી ફોન આવ્યો છે... આ શબ્દો સાંભળીને મારા પગ ધ્રૂજવા લાગ્યા અને હું સમજી ગયો કે કંઈક ખોટું થયું છે. મેં ફોન કાન પાસે મૂક્યો તો મને અવાજ આવ્યો કે દાદીને ગોળી વાગી છે.

આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી

મારો પરિવાર કાશ્મીરથી ગંગામાં સ્થળાંતરિત થયો હતો જ્યાં અમારું ઘર સંગમ પાસે હતું. તેમણે કાશ્મીરિયતનો વિચાર ત્યાંની ગંગામાં નાખ્યો હતો. જેને ઉત્તર પ્રદેશમાં ગંગા-જામુની તહઝીબ કહેવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું યાત્રામાં ફરતો હતો ત્યારે મને ઘણી મહિલાઓ મળી હતી. તેમાંથી કેટલાકે ભાવનાત્મક રીતે કહ્યું કે તેમની સાથે બળાત્કાર થયો છે અને હેરાન કરવામાં આવી છે. જ્યારે મેં પૂછ્યું કે શું મારે પોલીસને જાણ કરવી જોઈએ, તો તેણે કહ્યું કે ના, તેનાથી અમને નુકસાન થશે.

આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: Ghee purity: શું તમારો પરિવાર પણ બનાવટી ઘી ખાય છે? આ સરળ રીતે ઓળખો
આ પણ વાંચો: બાસમતી ચોખા ખાશે ચાડી : આ રીતે કરો ઓળખ, સરકારે નક્કી કર્યા ધારા ધોરણો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More