Home> India
Advertisement
Prev
Next

મહાકુંભ બાદ અયોધ્યામાં રચાયું નાસભાગનું ષડયંત્ર, આકાશમાંથી આવી આફત, એજન્સીઓએ ઉંઘો વાળ્યો પ્લાન

Ayodhya Ram Mandir News: અયોધ્યા રામ મંદિરના ગેટ નંબર ત્રણ પાસે ઉડતા ડ્રોનને એન્ટી ડ્રોન સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ષડયંત્રની શક્યતા જોતા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મહાકુંભ બાદ અયોધ્યામાં રચાયું નાસભાગનું ષડયંત્ર, આકાશમાંથી આવી આફત, એજન્સીઓએ ઉંઘો વાળ્યો પ્લાન

Ayodhya News: અયોધ્યા રામ મંદિરમાં ભારે ભીડ વચ્ચે સોમવારે સાંજે એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. અહીં રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા ઉમટેલી ભીડ વચ્ચે એક ડ્રોન આવ્યું અને પડ્યું. આકાશમાંથી આવતા ખતરાનો અહેસાસ થતાં ભીડ ગભરાઈ ગઈ, પરંતુ ત્યાં તૈનાત એન્ટી ડ્રોન સિસ્ટમે તેને તરત જ તોડી પાડ્યું હતું. પરંતુ સુરક્ષા એજન્સીઓ આ સુરક્ષા જોખમને લઈને સતર્ક થઈ ગઈ છે.

fallbacks

40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! વિજળીના કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ, આ રાજ્યોમાં એલર્ટ

રામ મંદિર પરિસરમાં ડ્રોન ઉડાડવા બદલ એક યુવક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના સોમવારે સાંજે ગેટ નંબર 3 પર બની હતી. રામ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે એક ડ્રોન અચાનક પડ્યું. આ ઘટના બાદ એન્ટી ડ્રોન સિસ્ટમની ટ્રાયલ તેજ કરવામાં આવી રહી છે.

જો તમારી બેંક ડૂબી જાય તો હવે મળશે 5 લાખથી વધુ...સરકારે કરી લીધી રાહત આપવાની તૈયારી!

ડ્રોન પડવાથી મચ્યો હડકંપ
રામ મંદિર પરિસરમાં ડ્રોન પડવાને કારણે ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભના દર્શન કરવા આવ્યા હતા. પોલીસે તુરંત જ ડ્રોનનો કબજો મેળવીને મામલાની તપાસ શરૂ કરી હતી. રામ મંદિર પરિસરમાં ડ્રોન પડવાની ઘટનાની તપાસમાં ષડયંત્ર હોવાનું કહેવાય છે. તપાસ બાદ જાણવા મળ્યું છે કે આ કૃત્ય ભીડમાં નાસભાગ મચાવવાના હેતુથી કરવામાં આવ્યું હોઈ શકે છે. પોલીસે અજાણ્યા યુવક સામે ગુનો નોંધી ડ્રોન દ્વારા આ કૃત્ય પાછળનું કાવતરું શોધવાનો પ્રયાસ કરી રહી છે.

Musk લાવ્યા ભારતમાં નોકરીઓનું ઘોડાપુર! Teslaમાં નીકળી બંપર ભરતી...કઈ કઈ છે જગ્યા?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More