વિશાલ સિંહ, મુંબઈ: આ વર્ષની શરૂઆતમાં ઈસ્લામિક સ્ટેટ સાથે સંપર્કના શકમાં મહારાષ્ટ્રથી પકડાયેલા 10 લોકોની થયેલી પૂછપરછ બાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટો ખુલાસો કર્યો છે. પકડાયેલા લોકોની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે આ ટુકડીમાં સામેલ સંદિગ્ધ તલ્હા પોટ્રિકે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ મુંબ્રેશ્વર મંદિરના મહાપ્રસાદમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર રચ્યું હતું.
રામપુર: જૌહર યુનિવર્સિટીનો ગેટ તૂટશે, કોર્ટે આઝમ ખાનને 3 કરોડથી વધુ રકમનો દંડ ફટકાર્યો
એટીએસ દ્વારા સોમવારે આ મામલે દાખલ થયેલી ચાર્જશીટમાં કહેવાયું છે કે સંદિગ્ધોએ ચારસો વર્ષ જૂના મુંબ્રેશ્વર મંદિરના મહાપ્રસાદમાં ઝેર ભેળવવાનું કાવતરું રચ્યું હતું. આ કાવતરાને ડિસેમ્બરમાં મંદિર પરિસરમાં થયેલી શ્રીમદ ભાગવત કથા દરમિયાન અંજામ આપવાની કોશિશ કરાઈ હતી. પરંતુ તેમાં તેઓ સફળ થઈ શક્યા નહીં. એટીએસએ એવો પણ દાવો કર્યો કે પકડાયેલા સંદિગ્ધ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકની વિચારધારાથી પ્રભાવિત હતાં.
જે દિવસે આ ષડયંત્રને અંજામ આપવાનો હતો તે દિવસે મહાપ્રસાદને 40,000થી વધુ લોકોએ ખાધો હતો. દહેશતગર્દોએ કાવતરું રચ્યું હતું કે મહાપ્રસાદમાં ઝેર ભેળવીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હત્યા કરી શકાય. એટીએસએ આ મામલે ચાર્જશીટ દાખલ કરતા તમામ સંદિગ્ધોની ઓળખાણ રજુ કરી છે જેમાંથી 9 વયસ્ક અને એક સંદિગ્ધ સગીર છે.
જુઓ LIVE TV
એટીએસએ પોતાની ચાર્જશીટમાં એમ પણ કહ્યું છે કે ધરપકડ કરાયેલા તમામ સંદિગ્ધ વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં હતાં અને આરોપીઓએ મંદિર પરિસરની રેકી પણ કરી હતી. ધરપકડ અગાઉ આ ટીમમાં સામેલ જમ્માન, સલમાન, વારિસ અને ફહાદે હાઈડ્રોજન પેરોક્સાઈડની મદદથી વિસ્ફોટકો પણ બનાવ્યાં હતાં.
ચાર્જશીટમાં એમ પણ લખ્યું છે કે ધરપકડ કરાયેલા લોકોમાં સામેલ મોહસિન ખાને સોશિયલ મીડિયામાં ઉમ્મત એ મોહમ્મદિયા નામનું ગ્રુપ બનાવ્યું હતું. જેમાં આઈએસ સંબંધિત જાણકારી પોસ્ટ કરાતી હતી. આ ગ્રુપમાં ફક્ત એ જ લોકોને જોડવામાં આવતા હતાં જેઓ આઈએસની વિચારધારાથી પ્રભાવિત હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે