Home> India
Advertisement
Prev
Next

LIVE: 70મા સંવિધાન દિવસ પર સંસદની સંયુક્ત બેઠક, PM મોદીએ કહ્યું- 26 નવેમ્બર ભારત માટે ઐતિહાસિક દિવસ

70મા સંવિધાન દિવસ (70th constitution day)ના અવસર પર સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં લોકસભા, રાજ્યસભાના સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે આ અવસર પર સંસદને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે 26 નવેમ્બર ભારત માટે ઐતિહાસિક દિવસ છે.

LIVE: 70મા સંવિધાન દિવસ પર સંસદની સંયુક્ત બેઠક, PM મોદીએ કહ્યું- 26 નવેમ્બર ભારત માટે ઐતિહાસિક દિવસ

નવી દિલ્હી: 70મા સંવિધાન દિવસ (70th constitution day)ના અવસર પર સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં લોકસભા, રાજ્યસભાના સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે આ અવસર પર સંસદને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે 26 નવેમ્બર ભારત માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું કે કેટલાક દિવસો કેટલાક પ્રસંગો એવા હોય છે જે આપણા સંબંધોને મજબૂતી પુરી પાડે છે. સારું કામ કરવાની દિશા બતાવે છે. મુંબઇ હુમલાને યાદ કરતાં તેમણે કહ્યું કે 26 નવેમ્બરના રોજ થોડું દુખ પણ થાય છે. આજના દિવસે આતંકવાદીએ મુંબઇ પર હુમલો કર્યો હતો. 

fallbacks

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારની કાલે અગ્નિપરીક્ષા: હોર્સ ટ્રેડિંગને રોકવા માટે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે: સુપ્રીમ કોર્ટ

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે 7 દાયકા પહેલાં આ સેંટ્રલ હોલમાં આસ્થા વિશ્વાસ સંકલ્પોની ચર્ચા થઇ. આ સદન જ્ઞાનનો મહાકુંભ હતો. સપનાઓને શબ્દોમાં મઢવાનો પ્રયત્ન થયો હતો. તેમણે કહ્યું કે આજના દિવસે હું તમામ લોકોને યાદ કરું છું. નમન કરું છું. 

વડાપ્રધાને બાબા સાહેબે આંબેડકરને યાદ કરતાં કહ્યું કે આંબેડકરે 25 નવેમ્બરના રોજ દેશને યાદ અપાવ્યું હતું કે ભારત દેશ પહેલીવાર 1947માં આઝાદ થયો અથવા ગણતંત્ર બન્યો એવું નથી કે ભારત પહેલાં પણ આઝાદ હતો. બાબા સાહેબે દેશને ચેતવતાં પૂછ્યું હતું કે આઝાદી તો મળી ગઇ પરંતુ શું તેને જાળવી રાખી શકશો? 

મહારાષ્ટ્ર: સુપ્રીમના ચુકાદા પહેલાં ટ્રાઇડેંટ હોટલ પહોંચ્યા અજિત પવાર, ભૂપેંદ્વ યાદવ હોટલમાં જોવા મળ્યા

વડાપ્રધાને કહ્યું કે ગત 7 દાયકામાં સંવિધાનની ભાવનાને અક્ષુણ રાખવા માટે વિધાનસભાની કારોબારીને નમન કરું છું. હું 130 કરોડ ભારતવાસી સામે નમન કરું છું. હું સંવિધાને હંમેશા પવિત્ર ગ્રંથ GUIDING LIGHT ગણ્યો. તેમણે કહ્યું કે આપણું સંવિધાન, આપણા માટે સૌથી મોટો અને પવિત્ર ગ્રંથ છે. આ એક એવો ગ્રંથ છે જેમા6 આપણા જીવનની, સમાજની, આપણી પરંપરાઓ અને માન્યતાઓનો સમાવેશ થાય છે અને નવા પડકારોનું સમાધાન પણ છે. 

વડાપ્રધાને કહ્યું કે આપણા સંવિધાને નાગરિકોની DINITY ને સર્વોચ્ચ રાખી છે અને સંપૂર્ણ ભારતની એકતા અને અખંડતાને અક્ષુણ્ણ રાખી છે. આપણું સંવિધાન પંથ નિર્પેશ છે. આપણું સંવિધાન વૈશ્વિક લોકતંત્રની સર્વોત્કુષ્ટ ઉપલબ્ધિ છે. આ ના ફક્ત અધિકારો પ્રત્યે સજાગ રાખે છે પરંતુ આપણા કર્તવ્યો પ્રત્યે જાગૃત પણ બનાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More